________________
1398
– ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - g૩ - ૨૦૫ સાચો રસ્તો જ નથી. તમારી પાસે આવતાં એને ભય ઊપજે એ જ એને સુધારવાનો સાચો માર્ગ છે. શાસ્ત્રનો અર્થ ઃ શાસન સ્વીકારે તેની રક્ષા કરે ?
શાસ્ત્રનાં એક એક વચન બહુ વિચારપૂર્વક લખાયેલાં છે. એ વચનથી ધર્મીને આનંદની છોળો ઊછળે અને અધર્મીને કંપારી છૂટે. શાસ્ત્રનો વ્યુત્પત્તિ અર્થ જ એ છે કે
शासनात् त्रायते इति शास्त्रम् । શાસ્ત્ર પૂર્વે શાસન-હુકમ કરે અને જે એના શાસનને એટલે હુકમને માને તેનું રક્ષણ કરે. રાજ્યનો પણ કાયદો એ કે પહેલાં એ કાયદો કરે, હુકમ કાઢે, એ જે પાળે તેની એ રક્ષા કરે અને એનો જે ભંગ કરે ને એ શિક્ષા કરે. શિક્ષામાં દંડ, કેદ, દેશનિકાલ અને ફાંસી એ બધું આવી જાય. જેવો ગુનો તેવી સજા. નીચલી કોર્ટે કરેલા હુકમનો પણ અમલ તો થાય જ. હુકમ તે હુકમ. અપીલ કરવી હોય તો દંડ તો ભરી દેવો પડે. જેલ થઈ હોય તો જામીન આપવા પડે. પછી અપીલ સંભળાય. હુકમનો અમલ તો પહેલો થાય જ. હાઈકોર્ટે પણ જોવાનું શું ? નવ્વાણું ટકા તો નીચલી કોર્ટે જે કર્યું હોય તે બહાલ જ રાખવાનું હોય. કાયદાની બારીમાં ગુનેગાર બચતો હોય તો તેને એનો લાભ આપવો એટલું જ હાઈકોર્ટ જુએ. બાકી નીચલી કોર્ટની કાર્યવાહી માને તો સાચી જ. દરેક કાયદા નીચે એના ભંગ માટેની સજા લખેલી જ હોય. અહીં ગંદકી ન કરવી” એવાં પાટિયાં ચોડે ત્યાંય એના ભંગ માટેની સજા નિયત. સજા બે જાતની. દંડ અને જેલ. અધિકારીને ફાવે તે સજા કરે. એક કરે અથવા બેય કરે એ એની મરજીની વાત.
એ જ રીતે આ શાસનના હુકમને ન માને, એનો ભંગ કરે, એને પણ સજા થાય. એને શાસન બહાર પણ મુકાય. શાસનના હુકમને માન્યા પછી ભૂલ કરે તેણે શિક્ષા (પ્રાયશ્ચિત્ત) માટે તૈયાર રહેવું જોઈએ; અને એ જ રીતે જે શાસનનું પાલન કરે તેને માટે શાસ્ત્ર રક્ષા કરવા તૈયાર છે.
રાજાએ ઉઠાવગીરોથી શાહુકારોની રક્ષા માટે રાજ્યમાં પોલીસ ગોઠવી છે. શાસ્ત્ર વાંચતાં જો શાસન (આજ્ઞા) ન સમજાય તો વાંચનારની ખામી સમજવી. શાસ્ત્રમાં જેવું હોય તેવું જ એ વાંચે. “સમયગ્દષ્ટિ છે કે જે સંસારને ખોટો કહે આમ જ એ વાંચે. “કોઈ સંસારને ખોટો કહેવાની ના કહે તો એ સમ્યગ્દષ્ટિ નહિ' એમ શાસ્ત્રનો જ્ઞાતા કહેતાં અચકાય નહિ. શાસ્ત્ર વાંચતાં ધર્મીને આનંદ ન થાય અને પાપી ગભરાય. નહિ તો માનવું કે વાંચનારમાં વાંચવાની તાકાત