________________
1391
- ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – – ૨૦૩ દરેક વાતના ખુલાસા કરવા પડે. શાસનના વિરોધીઓનું બધું કૌવત બહાર કઢાવવું જ પડે. પાખંન્ને સાફ કરવાની વાત છે, પાખંડીને નહીં?
ભયંકર રોગીને આકરા જુલાબ આપવા પડે. ગંધાતા મળ બહાર નીકળે પછી જ વૈદ્ય એમને દવા આપે. આપણે પણ એમના હૈયાની વાતો કલ્પીને શાસ્ત્રના ઓઠે રહીને બધી ખુલ્લી કરવી જોઈએ. એકલા શાસ્ત્રથી પાખંડી કદી નહીં લાગે. મ્યાનમાં રહેલી તલવાર તો ફક્ત દેખાવ પૂરતી કામની. એ જ્યારે બહાર ખેંચાય ત્યારે જ દુશ્મન ગભરાય. એ તલવાર ધારદાર, પાણીદાર અને તેજદાર એવી હોય કે અમાસની અંધારી રાત્રે પણ ઝબકારા મારે. એ તલવાર ફરે ત્યારે વચ્ચે આવનાર કોઈ બાકી ન રહે. આપણે પણ એમની એક એક વાત સેંકડો રૂપે બહાર મૂકી શાસ્ત્ર અને દલીલો રૂપી તીક્ષ્ણ તલવાર ફેરવી એ વાતોના, કુતર્કોના એવા ટુકડા કરવાના છે કે એમનાં બધાં પાખંડ સાફ થઈ જાય. અહીં પાખંડ સાફ કરવાની વાત છે, પાખંડીઓને નહીં. માટે કોઈ અવળો અર્થ ન કરતા.
શાસ્ત્રનો જ્ઞાતા શાસ્ત્ર વાંચે અને એ સાંભળીને પાપી જીવો કંપે નહીં એ બને ? શાસ્ત્ર વંચાય ત્યાં હાજર હોય એ પાપી જીવો તો કંપે પણ જે ઘેર બેઠા હોય તે પણ એ વાતો અન્યના મુખેથી સાંભળીને ધ્રુજે. અઢાર પાપસ્થાનકમાં ખેંચેલી દુનિયા પાસે શાસ્ત્ર વંચાય ને જો સાંભળનારા ઊંચાનીચા ન થાય તો પાપ ઘસાય શી રીતે ? તાજા રોગીને સામાન્ય દવા આપે તો પણ ચાલે પણ અનાદિના વ્યાધિગ્રસ્ત, અનંતાનંત રોગથી ભરેલા અને ગાઢ મિથ્યાત્વથી વાસિત એવા દર્દીને દવા કેવી અપાય ? આ તો નિહ્નવપણાનો ચાંદ આપોઆપ લઈને બેઠેલા છે. ભગવાને તો તેમના શાસનમાં સાત નિહ્નવો ગણાવ્યા પણ આજના આ તો એવા નિહ્નવો છે કે જેમની સંખ્યાનો પાર નથી. એમનાં નામ કેટલાં ગણવાં? ખતમ કરી નાખવાની ધમકી :
મારી વાતો સાંભળીને ઘણાંને ગભરામણ થાય છે. પણ હું કહું છું કે “જો શ્રી જિનેશ્વરદેવની વાણી હું વાંચું અને એ સાંભળીને પાપી જીવોને ગભરામણ ન થાય તો તો ખરેખર મને જ ગભરામણ થાય કે રખે હું ક્યાંય બોલતાં ભૂલ્યો તો નથી ને ?' આગળ આચાર્યોની દેશનામાં છયે દર્શનના વાદીઓ આવીને ગોઠવાઈ જતા. આચાર્યની આજુબાજુ બળવાન અને મજબૂત સાધુઓ બેસી જતા. એ સમજતા કે આચાર્ય દેશના આપવા બેઠા એટલે બોલ્યા વિના રહેવાના