________________
1387
૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93
૧૯૯
તે છતાં... રાણા પ્રતાપ ન નમ્યો ઃ
રાણા પ્રતાપે બધા જુલમો સહન કર્યા, જંગલમાં ભટક્યો, અનાજ વિના બાળકો ભૂખ્યાં ટળવળે, ખાવા બેસે ને ભાગવું પડે, આ બધું છતાં મુસ્લિમ બાદશાહને એ નમ્યો નહિ. બાદશાહ એને નમવાનું પણ નહોતો કહેતો, ફક્ત સંધી કરવાનું જ કહેતો હતો પરન્તુ એવા અધર્મી સાથે સંધી પણ એને મંજૂર ન હતી. ‘બધું જાઓ પણ ધર્મ ન જાઓ' એ જ એનો સંકલ્પ હતો.
સભા ‘એણે દેશકાળ ન જોયો ?’
દેશકાળ જોઈને સગવડિયો બન્યો હોત તો એનું નામ ઇતિહાસમાં ન લખાત. રાણા પ્રતાપનું નામ આજે કેમ ગવાય છે ? એના યોગે તો ક્ષાત્રવટ જીવતી રહી. બીજા બધાએ બાદશાહની ગુલામી સ્વીકારી ક્ષાત્રવટને કલંકિત કરી. માનસિંહ જ્યારે બાદશાહ તરફથી મોટી સેના સાથે આવ્યો અને તેને સમજાવવા પ્રયત્ન કરે છે ત્યારે ખોબા જેટલા સૈનિકો છતાં રાણા પ્રતાપે તેને સંભળાવ્યું છે કે-‘કુલાંગાર ! તારું મોં ન બતાવ.' આ ક્યારે બોલાય ? જ્યારે ધર્મની કિંમત હોય ત્યારે.
જેને ધર્મની કિંમત હોય તે પ્રશસ્ત કષાયોની કિંમત સમજે :
જેને ધર્મની કિંમત હોય તેને પ્રશસ્ત કષાયોની કિંમત સમજાવાય. અહીં કેટલાક તો એવા ભેગા થાય છે કે જે શાસ્ત્રનીં ઊંચી વાતો જીરવી શકે નહિ. સારી વાતોનો દુરુપયોગ કરવાનું જ તેઓ શીખ્યા છે. એવાઓના હાથમાં કોઈ એવી સામગ્રી આપણે નથી આપવા માગતા કે જેથી પોતાના હાથે જ તેઓ દાવાનળ સળગાવે. રત્નત્રયીના મહિમાને સમજો પછી જ પ્રશસ્ત કષાયોના દૃષ્ટાંતોમાં તમને મજા આવે અને એના હેતુઓ આપોઆપ સમજાય. રત્નત્રયીના રક્ષણ માટે જે કાંઈ કરવું પડે તે બધું કરાય. યુદ્ધભૂમિમાં બાણ પ્રમાર્જે તે સાચા બળવાન નથી ? શાસ્ત્ર તો એને જ સાચા બળવાન કહે છે. રસ્તે જનારા નબળા પોચાને જે રહેંસી નાખે તે બળવાન નહિ પણ રાક્ષસો છે. આટલી વાતમાં જેને મૂંઝવણ થઈ ગઈ તે યુદ્ધભૂમિમાં રાજાઓ પડિક્કમણું કરતા હતા એ વાત સાંભળે તો હેબતાઈ જ જાય ને ? એને તો એમ જ થાય કે યુદ્ધમાં વળી પડિક્કમણું ક્યાંથી આવ્યું ?
ધર્મનિષ્ઠ મંત્રીની વફાદારી :
એક રાજા કોઈ સમયે કારણસર પોતાના રાજ્યની બહાર ગયો છે અને બરાબર સમય જોઈને તે જ વખતે દુશ્મન રાજા ચઢી આવ્યો છે. રાણીએ મંત્રીને