SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 1835 - ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – ૧૯૭ રત્નત્રયીની પુષ્ટિ અને શુદ્ધિ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું, તેમની એ બધી વાતો જેમને રત્નત્રયી ગમે તેમને કહેવાય. જેના યોગે જે વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુને સાચવવાની મહેનત પહેલી હોવી જોઈએ. જેને મેડીની જરૂર હોય તેને નિસરણી સાચવવી જ જોઈએ. “નિસરણી ન હોય તો શું વાંધો ? એ ભાંગેલી કે સડેલી હોય અથવા દશને બદલે બે પગથિયાંવાળી હોય તો પણ ચાલે એમ ન બોલાય. જેને માળની કિંમત હોય તેને સમજાવાય પણ જે મૂર્ખને માળની ગતાગમ જ નથી તેને શું સમજાવાય ? આવા લેખકોનાં લખાણની કિંમત શી ? ' લખનાર જો સાચો લેખક હોય. શાસ્ત્રના ભાવ સમજવા માગતો હોય, વિચારોને વાગોળીને અને વિષયમાં તન્મય થઈને લખતો હોય તો આપણે એને જરૂર સમજાવી શકીએ, અને જ્યારે સમજવું હોય ત્યારે સમજાવવા તૈયાર છીએ; પણ ભાડૂતી લેખક માટે નિરૂપાય છીએ. પગાર માટે જ લખનારને તો વ્રતાડિતં ના'- બ્રહ્મા પણ તેને રાજી ન રાખી શકે, એમ જ કહેવું પડે. બ્રહ્મા પણ એને જો કાંઈ કહેવા જાય તો એની પણ લખામણીની એ ફી માગે અને કહે કે “જો કોઈના ગુણ ગવડાવવા હોય કે કોઈને માટે ગાળો લખાવવી હોય તો મારી કલમ તૈયાર છે પણ આપો છો શું ? એ વાત પહેલાં નક્ક કરો.” એવાને તમે બોલાવીને કહો કે “ભલા માણસ, આવા સજ્જન માણસ માટે તેં આ શું લખ્યું ?” તો એ કહી દે કે-“એ પંચાત ન કરો. તમારે જે લખાવવું હોય તે બોલો અને પૈસા અહીં મૂકી દો. તમે કહો તેમ લખવા તૈયાર છું.” અરે ! ખુદ ભગવાન મહાવીરદેવ સાક્ષાત્ હોય તો તેમને પણ કહે કે-તમારા ભક્ત રાજાના મુગટમાંથી કે સમવસરણના કાંગરામાંથી થોડાં રત્નો અપાવી દો તો તમારા સમ્યક્તનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દઈએ. પ્રચાર કરવો હોય તો હાથ છૂટો રાખો અને અમને આપવા માંડો. એમને તો કોઈ પણ પ્રકારે ઉદરપૂર્તિ અને સ્વાર્થસિદ્ધિ એ બેનું લક્ષ્ય છે તો હવે આવાના લખાણની કિંમત શી ? ધર્મયુદ્ધ'ના નિયમો મહાભારતનો એક પ્રસંગ : આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે ગમે તેટલું ખરાબ લખવા જતાં પણ સારા શબ્દો પાછા લખાઈ જાય છે. એ મથાળું કરે છે કે-“જૈન પ્રવચનની રત્નકણીઓ', જેનું ખંડન કરવાનું, જેને ફેંકી દેવા યોગ્ય માનવાની, તેને કોઈ રત્નકણીઓ કહે ? પણ આવી વાતનું એ લેખકને ભાન નથી. “ધર્મયુદ્ધ'ની એને જાણ નથી. ન્યાયનીતિ વિનાના આધુનિક તોપગોળાના યુદ્ધને જ એ જાણે છે. મુખ્ય દુશ્મનો સામસામે ખડા રહેતા. દૂત મોકલ્યા વિના, શત્રુને પડકાર્યા વિના એ કદી લડવા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy