SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ 1383 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો – 93 – ૧૯૫ મનુષ્યભવની કાંઈ કિંમત જ નથી ? આ માનવભવનું સાધ્ય શું ? અનેક ચક્રવર્તીઓ અને રાજામહારાજાઓ થઈ ગયા, રિદ્ધિસિદ્ધિવાળા પણ અનેક થયા પરન્તુ તેમાંના કોઈનાં નામ આ શાસ્ત્રના પાને લખાયાં ? સંખ્યાબંધ શહેનશાહો તેમની મોટી મોટી શહેનશાહતો મૂકી મૂકીને ગયા. એમાંનાં કોઈનાં પણ નામને આમાં સ્થાન ન મળ્યું. શાસ્ત્ર તો પૂછે છે કે-માનવજીવનમાં એમણે સાધ્યું શું ? આજે તો બાહ્ય વસ્તુઓ માટે માનવજીવનમાં સાધનાને ગૌણ કરવાનું કહેવામાં આવે છે. પરન્તુ પૂર્વના પુણ્ય, અનેક ભવોના સંસ્કાર ઘડાતાં ઘડાતાં, મહામુશીબતે આ જીવન અને આ સામગ્રી મળી અને તેમાં કાંઈક જાગૃતિ થઈ જેના યોગે ધર્મક્યિા પ્રતિ પ્રેમ જાગ્યો. હવે નજીવા બહાનાં કાઢી, ધર્મને હાલ મોકૂફ રાખવાનું કહેવું એને માટે શાસ્ત્ર તો કહે છે કે- આતં પરં નતમ્ - આવ્યું પણ ગયું એના જેવું થયું. એ ગયેલું પાછું ક્યારે આવે ? ચિંતામણિ કદાચિત્, ક્વચિત્ અને કોઈકને જ હાથમાં આવે. એના રૂપરંગ જોવામાં હાથમાંથી સરીને સાગરમાં પડી જાય પછી એ હાથમાં આવે ? એક ભાગ્યહીન ચિંતામણી મેળવી તેને હાથમાં રાખી વહાણના કિનારે બેસી ચાંદની રાતે ચંદ્રમાં સાથે તેની સરખામણી કરતો મલકાવા લાગ્યો. ચંદ્ર ચઢે કે આ ચઢે ? એમ સરખામણી કરતાં કરતાં ચિંતામણી હાથમાંથી સરી જઈ સમુદ્રમાં પડ્યું. એ પામરને ચિંતામણિ મળ્યું પણ ફળ્યું નહિ. મળેલું સાચવી શક્યો નહિ. સાગરમાં ગયા પછી હવે ડૂબકી મારે તોય એ હાથમાં આવે ? રત્નત્રયીના ભક્ત બનો પછી પ્રશસ્ત કષાયોનાં દષ્યત આગળ કરો: માત્ર શરીરની જ ચિંતા કરશો અને એ માટે કસરત, અખાડા, માલ મિષ્ટાન્નની વાતો કરશો તો આત્માની ચિંતા ક્યારે કરશો ? તમારે દુનિયા સાથે રાચવું છે કે કર્મ સાથે ? સભા; “કાલિકાચાર્ય મહારાજે લડાઈ કરી હતી ને ?' કાલિકાચાર્ય મહારાજે શા માટે લડાઈ કરી ? કર્યા પછી શું કર્યું ? અને એ યુદ્ધમાં કોઈને માર્યા હતા કે કેમ ? એ બધું જાણો છો ? સભા: “એ ખ્યાલ નથી.” ખ્યાલ નથી તો એ વાત ન થાય. તમારા એ પ્રશ્નથી ચાલુ મુદ્દાને કોઈ બાધ નથી આવતો. એ યુદ્ધ સાધ્વીના શીલની રક્ષા માટે હતું. રત્નત્રયીનું રક્ષણ કરવાનો એમાં હેતુ હતો. એ યુદ્ધમાં દુશ્મનને માર્યો નથી અને દુશમનને મારવાની બુદ્ધિ પણ ન હતી. દુશ્મને માફી માગી અને ફરી એવું નહિ કરવાનું જણાવ્યું કે તરત છોડી મૂક્યો. આમ છતાં એમાં પણ જેટલા પ્રમાણમાં દોષ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy