________________
૧૯૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
– 1982 નામે આ દુનિયામાં જેટલો અધર્મ થાય છે તેટલો પણ ધર્મ થતો હોત તોયે ધૂળ નાંખી. સીધા અને સાદા ધર્મની વાતને બદલે આજે તો ધર્મના નામે જ અનેક પ્રકારની પોલ ચલાવાય છે, અધર્મ ફેલાવાય છે. પાંચ વ્રતોની વાત બધા કરે પણ પૂરાં માને નહિ?
તમામ દર્શનકારો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચે નિયમ મુખ્ય બતાવે છે પણ બધે નજર કરો તો સિવાય જૈનદર્શન અહિંસા તો ક્યાંક ખૂણેખાંચરે દેખાઈ જાય તો જુદી વાત. એ જ રીતે સત્ય પણ શોધવા જઈએ તો નામનું ક્યાંક મળે. અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પણ શોધવા પડે. બોલે બધાય પાંચે નિયમ, પણ પૂરા ક્યાંય ન મળે. આજના સમાનવાદીઓ કહે છે કે-“બધા દર્શન સમાન કેમ નહિ ? પાંચે નિયમ તો બધાં જ કબૂલ રાખે છે છતાં જૈનદર્શન જ ઊંચું કેમ ? ધ્યેય બધાનું એક, વ્રત બધાનાં સરખાં, વૈરાગ્યને બધા જ માને છતાં ભેદ શા માટે ? શાસ્ત્ર કહે છે કે એ બધા અધૂરું કહે છે; જ્યારે અહીં પૂરું કહેવાય છે, એટલો ભેદ છે. લાલચુઓને ધર્મના નામે કપડાં કટાવીને પણ નચાવી શકાય?
સમાનવાદીઓ કહે છે કે “બધા ગુણની જ વાત કરે છે. પણ એમને જણાવાય કે ગુણની વાત ન કરે તો ઊભા જ કોણ રાખે ? ગાંડી પણ દુનિયાને પોતાના તરફ વાળવી હોય તો ધર્મનો દેખાવ કરવો જ પડે. ધર્મનો દેખાવ કર્યા પછી અર્થકામની લાલસાવાળી દુનિયા પાસે બધા અનર્થ કરાવી શકાય. એરે, કપડાં કઢાવી બજાર વચ્ચે નચાવો તો નાચે પણ ખરો. કંઈક ધૂતારાઓએ ધર્મને નામે અર્થકામના લાલચુ લોકો પાસે આવા નાચ કરાવ્યા પણ ખરા. લજ્જા ગઈ પછી પૂછવું શું? એ તો ઉઘાડું બોલે કે-“પૂરાં કપડાં ન મળતાં હોય તો તે મેળવવા માટે હમણાં તો ઉઘાડા થઈને ફરવામાં હરકત શી ?' એ જ રીતે કહે છે કે ધર્મ વિના કલ્યાણ નથી એ વાત સાચી પણ હમણાં કાંઈ પૂરો ધર્મ કરી શકાય તેમ નથી તો પછી બે-પાંચ વર્ષ માટે ધર્મને સમૂળગો જ મોકૂફ રાખો ને ? એમાં વાંધો શું છે ? પૂરી સામગ્રી એક વાર મેળવી લીધા પછી બધું થઈ પડશે.” માનવજીવનમાં સાધ્યું શું?
પૂર્વના સંસ્કારબળે, મહામુશીબતે અનંત પુણ્યરાશીએ ધર્મ મળ્યો, ધર્મસામગ્રી મળી, બાહ્ય અનુકૂળતાઓ મળી, હવે એમાં કદી જરા ખામી હોય તો તે ખામી મૂરવાને બદલે સંપૂર્ણ ધર્મને મોકૂફ રાખી દેવાનું પરિણામ શું ? આ