________________
1371 – ૧૨ સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો! - 92 – ૧૮૩ ભગવાનની જ વાણી છે. ત્રિપદીમાંથી દ્વાદશાંગી બની-એ પણ ગઈ. છતાં જતાં જતાં જે રહી તે આ જે છે તે છે. એ કોઈ નવી આવેલી નથી.
સભા: ‘એ અખંડિત છે ?'
ગયું એટલે ખંડિત છતાં પણ અખંડિત જ; કેમકે એ વિચ્છિન્ન ભાગને સાંધનારા કારીગર પણ એવા નિષ્ણાત હતા. એમણે હેતુ ભલે નવા લીધા પણ વસ્તુ નવી નહિ. માનો કે પહેલું અને છેલ્લું સૂત્ર રહ્યું અને વચલાં સૂત્રો ગયાં તો તે બેનો સંબંધ યોજવા નવા હેતુઓ અનેક લીધા પણ બે સૂત્ર રહ્યાં છે તો એ જ. હોશિયાર પ્રોફેસર દાખલાની ભૂલ તરત પકડે અને બીજાઓ તો ભૂલ પકડતાં બીજી ભૂલો કરે. .
સભાઃ “અધૂરા પર આધાર રખાય ?'
પૂર્ણ પુરુષે કરેલી વાત અધૂરાથી મનાય છે કે નહિ ? પૂર્ણ ન થવાય ત્યાં સુધી પૂર્ણની દૃષ્ટિથી જોવાવું જોઈએ. મુદ્દો એ છે કે નવું નથી પણ હતું તે આવ્યું છે. જે થોડું રહ્યું છે તેમાં રસ એવો છે કે એ થોડું પણ ઘણું છે. પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે
कत्थं अम्हारिसा जीवा, दुस्समादोसदुसिया । હા ! મUTIEા ! હં હુંતા, જિ ન તો વિમો તારા
- સંબોધ પ્રકરણ જો જિનાગમ ન હોત તો, દુષમ કાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા અનાથ જીવોનું શું થાત ?' જો આ જિનાગમ હતાં તો અમે જીવ્યા. અનાથ મટી સનાથ બન્યા.
અગાધ બુદ્ધિવાળા મહાત્માને પણ કહેવું પડ્યું કે આ આગમમાં ત્રુટિનું નામનિશાન નથી. ઘણી વસ્તુઓ ગઈ તે તો ગઈ પણ રહી તે તો તે જ છે. જે અને જેટલાં આગમ અમને-તમને મળ્યાં છે, તે અને તેટલાં જ આગમ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને મળ્યાં હતાં અને માટે એ મહાપુરુષે કાઢેલા આ ઉદ્ગારો છે. દેશકાળ સાત વ્યસનના ત્યાગને બાધક નથી ?
જ્ઞાનીની વાતો પામરોને ભયંકર લાગે. નિયમો કોને ભયંકર લાગે ? પામરોને. એ ઝટ પૂછે છે કે-“સાતે વ્યસનનો પૂરો ત્યાગ તો કેમ થાય ?' સારા સારા માણસો પણ સાત વ્યસનના ત્યાગમાં કાંઈ કાંઈ વાંધા બતાવે છે. અનેક જાતના એ બચાવ કરે છે. “સંસારમાં રહેવું, રાજ્ય એવું, કાયદા એવા,