SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 1355 - ૧૨ ઃ સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 ૧૭૭ ત્યાં પારકાપણું છે. જ્ઞાની પોતાના શરીર પર ગમે તેટલી આપત્તિ આવે તોય ન બોલે પરંતુ, ત્યાં “હશે ! હોય !” એમ કહે. મારાપણાની અને પારકાપણાની સાચી સમજનો આ તફાવત છે. પેલા નિયમોથી હેતુ ન સરે: પોલા નિયમોથી હેતુ નહિ સરે. જીવનને કેદખાનામાં મૂકે તેવા નિયમોની જરૂર છે. સંગ્રામમાં ગયેલા સૈનિકો માટે પણ બંધન છે. ત્યાં પાછળ જોવાય જ નહિ. જો ભૂલથી પણ કોઈ સૈનિકે પાછળ જોયું તો મૂઓ સમજવો. એને ઠાર કરવાનો જ હુકમ હોય છે. એક પાછળ જુએ એમ બધા જુએ તો થાય શું ? સૈનિકોએ મોઢાં સામે જ રાખવાનાં. એ રીતે નિયમ પણ એવા લો કે મોટું અર્થાત્ જીવન આ તરફ જ રહે; એ ફરવા દે જ નહિ. આ તો ચારે તરફ મોકળાશ રાખી નિયમ લેવાય છે જેથી હેતુ સરતો નથી. હૃદયમાંથી સંસારને કાઢો ઃ શાસ્ત્ર મંદિરમાં સાચવવાની દશત્રિક કહી છે. તેમાં દૃષ્ટિત્રિકમાં કહ્યું કે-શ્રી જિનમૂર્તિની સામે જ આંખ રહે, બાકીની ત્રણે દિશા વર્જવી. એ જ રીતે ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે પણ એમ જ સમજવું. ઉદય-માર્ગે જવામાં જરા પણ વિઘ્નકર ન થાય તેવા નિયમો જોઈએ. ધર્મક્રિયા માત્રમાં આત્મા તન્મય થાય જ. પાંચે ઇંદ્રિયો ત્યાં જ તલ્લીન બને. ચક્ષુ પ્રભુની મૂર્તિ જ જુએ, કાન પ્રભુની વાણી જ સાંભળે, કાયા પણ બીજે જાય જ નહિ. આમ થાય તો મૂર્તિનાં દર્શનથી જે ભાવના પેદા થવી જોઈએ તે થાય. એકવારનાં મૂર્તિનાં દર્શન પણ બોધિબીજ પમાડ્યા વિના રહે જ નહિ. પણ એ ઓળખાય તો ને ? પ્રતિપક્ષી વસ્તુ હૃદયમાંથી નીકળે તો ને ? જો હૃદયમાંથી સંસારને ન કાઢો, પૌદ્ગલિક લાલસા ન કાઢો, તો “ભવનિબૅઓની માગણી થાય શી રીતે અને ભવનિÒઓ આવે ક્યાંથી ? મમતા છોડ્યા વિના ધર્મનો સાક્ષાત્કાર ન થાય ? હૈયામાં ગમે તેવા વિચારો ચાલતા હોય અને ભક્તિ કરો એ કેવળ બાહ્ય ક્યિા છે. ઠીક છે ! બાળકના અભ્યાસ તરીકે એ ચાલુ રખાય, એનાં વખાણ પણ કરાય; બાકી એની કિંમત મોટી નથી. એ ક્રિયા કીમતી એટલા પૂરતી છે કે જ્યાં ત્યાં માથું મારતો હતો તે ત્યાંથી ખસીને અહીં આવ્યો એટલો ભાગ્યવાન. કેવળ નાશવંત વસ્તુને સેવી રહ્યો હતો, કુદેવાદિની ઉપાસનામાં પડ્યો હતો, તે છોડીને અહીં આવ્યો છે તો હવે દિશા ઊઘડવાનો સંભવ છે. જો કે અહીં આવીને આંધળા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy