________________
૧૭૬
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1364 લગાડે, ઇરાદાપૂર્વક ધર્મને ઠોકરે ચઢાવે તે સંઘમાં નથી. સંઘમાં રહેનારે નિયમથી બંધાઈ જવું જોઈએ જેથી અશુભ અધ્યવસાય તો રોકાયા ! શુભ ન બને તોય એકવાર અશુભને તો રોકો ! તમારાથી સારું ન થાય તો ખોટું તો ન જ કરો. -હવે સમ્યમ્ વર્તનની વાત:
સાધુ ન થાય તોય શેતાન તો ન જ થવાય. બ્રહ્મચારી ન બનાય તોય વ્યભિચારી તો ન જ બનાય. વ્યભિચારમાં પણ જો પ્રેમ થાય તો બ્રહ્મચર્યમાં શું થાય ? પ્રેમ થાય” એમ કહું છું તે બરાબર ધ્યાનમાં રાખજો-સમ્યગૂ માન્યતાની વાત મેં ઘણો વખત કરી. હવે સમ્યગુ વર્તનની વાત કરું છું. પાપ કરવું પડે તો કરવા છતાંયે પાપને પાપ માનવાથી સમ્યક્ત ટકે છે એમ ઘણા દિવસ સમજાવ્યું; હવે જરા આગળ વધું છું. એકલો વ્યવહાર (ધર્મવ્યવહાર, ઘરવ્યવહાર નહિ) બહુ વાર પોષ્યો, હવે તમને નિશ્ચય તરફ વાળવા પ્રયત્ન છે. કોરી માન્યતા જ હોય પણ એ માન્યતાના અમલમાં તદ્દન મીંડું હોય તો તે ચાલે ? શ્રી જિનેશ્વરદેવના વચનમાં જેને પૂરી શ્રદ્ધા હોય તે શ્રી જિનેશ્વરદેવની પૂજા, સેવા, દર્શન તથા અને આજ્ઞાના સ્મરણ વિના જીવે શી રીતે ? કદી એનાથી એ ક્રિયા ન થાય તો હૃદયમાં ચીરો પડે: ધર્મક્રિયા કરનારા પોતાની જાતને ભૂલનારા કેટલા ? વ્યવહારની ક્રિયામાં ખામી આવવાથી વ્યવહારમાં જેટલો ધક્કે લાગે છે તેટલો ધક્કે ધર્મક્રિયામાં ખામી આવવાથી ધર્મમાં પણ લાગે છે તેવી ખાતરી છે ? પચીસ-પચાસના કુટુંબમાંથી એક પણ સભ્ય મરે તો જે આઘાત થાય છે તેવો આઘાત ધર્મનાં ઘણાં સાધનોમાંથી એક પણ નષ્ટ થાય ત્યારે થાય છે ? તમારું શું અને પારકું શું?
તમારું શું અને પારકું શું, એ કદી વિચાર્યું ? સમ્યગ્દષ્ટિને સ્વપરના ભેદની ઓળખ ન હોય ? હંસની એક ચાંચથી ખીર-નીર જુદાં થાય જ. હંસ દૂધ જ પીવે, પાણીનું એક ટીપું પણ ન પીવે ! ભેળસેળવાળું દૂધ માણસ ભલે ચલાવે, હંસ નહિ ચલાવે. સમ્યગ્દષ્ટિને મારાપણું ક્યાં હોય એ નક્ક કરો. જ્યાં મારાપણું આવશે ત્યાં મહેનત થયા વિના રહેવાની નથી. તમને જ્યાં “ચીજ મારી છે' એમ લાગ્યું પછી કોઈ ઉપદેશકનું કામ નથી. “શરીર મારું છે' એમ માન્યું એટલે જરા પણ પીડા થાય કે બૂમાબૂમ અને દોડાદોડ કરી મૂકો છો. વગર પૂછે બીજાને કહેવા માંડી પડો છો. પાડોશમાં કોઈ પીડાથી બૂમ મારતો હોય તો “હશે ! હોય ? થાય એ તોએમ કહીને પોતે ઊંઘવા માંડે; કારણ કે