________________
1363 – ૧૨ઃ સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો! - 92 –– ૧૭૫ નિયમ કોને ન ગમે ?
અશુભ અધ્યવસાય સાથે જેને અણબનાવ ન હોય, એની સાથે પણ જેને મૈત્રી રાખવી હોય, હૃદયના ખૂણામાં છૂપી પણ એની મૈત્રીની ઇચ્છા હોય તેને નિયમ ન ગમે. એ બચાવ કરે કે-“વખતે થઈ જાય તો ?' એ જ સૂચવે છે કે ઊંડે ઊંડે એના પ્રત્યે પ્રેમ બેઠો છે. જેને અશુભ અધ્યવસાય ગમતા નથી તેને નિયમ પ્રત્યે અભાવ ન હોય. એને તો ક્યારે નિયમધારી બનાય એની ઝંખના હોય. તકે તકે એ વિવિધ નિયમનો સ્વીકાર કરતો જ જાય. નિયમ કરવામાં એને મૂંઝવણ ન થાય. પણ જેને અશુભ અધ્યવસાય સાથે ગોઠડી રાખવી હોય તેને નિયમથી જરૂર મૂંઝવણ થાય. આ સર્વવિરતિપણાના નિયમની વાત નથી કરતો, હજી તો ગૃહસ્થપણાના નિયમોની વાત કરું છું. તદ્દન નહિ ખાવાની કે કશુંયે નહિ ભોગવવાની વાત નથી કરતો પણ તમારી ભૂમિકામાં જે ખાવા લાયક નથી તે નહિ ખાવાની અને જે ભોગવવા લાયક નથી તે નહિ ભોગવવાની વાત કરું છું. સર્વથા બ્રહ્મચર્યની વાત નથી કરતો પણ મર્યાદિત શીલની વાત કરું છું. જેની તેની સાથે કે પરની માલિકી ધરાવતી સ્ત્રી સાથે ભોગ ન હોય એ વાતમાં મૂંઝવણ હોય ? સંપૂર્ણ બ્રહ્મચર્યમાં મૂંઝવણ થાય એ માન્યું પણ આમાં મૂંઝવણ શાની ? આમાં પણ જો મૂંઝવણનો બચાવ કરો તો તો એક જ અર્થ કે પાપ તરફ પૂરો સદ્ભાવ છે. સારું ન થાય તોય ખોટું તો ન જ કરો :
નિયમ ન થાય તે વાત જુદી પણ નિયમ કરવા યોગ્ય છે એમ માનવામાં મૂંઝવણ શી ? જે નિયમ કરવા યોગ્ય માને તે પછી મોટે ભાગે એ ક્રિયા કરે જ નહિ. શાહુકારથી ચોરી થાય જ નહિ.
સભાઃ “એ તો છૂપી રીતે ચોરી કરે ને ?'
છૂપી રીતે ચોરી કરે તે શાહુકાર કહેવાય ? છૂપી રીતે ચોરી કે તો એનું પરિણામ બૂરું આવે. બૂરું પરિણામ જાણવા છતાં છૂપી ચોરી સાથે ગોઠડી રાખનારા છે ખરા; પણ મારે તેમને પૂછવું છે કે સાધુજીવનની વાત તો દૂર રહી પણ ગૃહસ્થ તો બનવું છે કે નહિ ? ઘરમાં રહેવા છતાં, ધર્મને, સારી કરણીને કે શુભ અધ્યવસાયને ફટકો લાગે તેવી કોઈ કરણી ન કરાય; ત્યાં ફટકો ન લાગે એવી જ ગૃહસ્થની બધી કરણી હોય. એ રીતે વર્તનારો ઘરમાં રહેવા છતાં ધર્મને શોભાવે પણ ધર્મને ઝાંખપ ન લગાડે. એને જોઈને બીજા ધર્મ પામે પણ ધર્મ હારે નહિ. એની તમામ કાર્યવાહી ધર્મને દીપાવનારી હોય પણ ધર્મને મલિન બનાવનારી ન હોય. આવો માણસ સંઘમાં કહેવાય ? જે ધર્મને ઝાંખપ