SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 સાથે સરખામણી કરતાં પીઠ, મેખલા તથા ચિત્રકૂટોની સરખામણી કરી ગયા અને હવે નંદનવન સાથે સરખામણી કરે છે. મેરૂનું નંદનવન ચિત્તને આહ્લાદ ઉપજાવે તેવું છે. એની સુગંધ ચારે તરફ એવી પ્રસરે છે કે દેવો અને વિદ્યાધરોને ખેંચાઈને ત્યાં આવવાનું મન થાય છે. અશોકાદિ સુંદર વૃક્ષો અને વિવિધ જાતની લતાઓથી એ વન મનોહર છે. વિવિધ પુષ્પોની સુંદર સુવાસથી આખો પહાડ મહેકે છે. શ્રી સંઘમાં પણ આ બધી ઘટના જોઈએ. 1361 ૧૭૩ શ્રી સંઘમાં સત્તાગતે આ બધી વસ્તુ તો જોઈએ જ. તરતમતા ભલે હોય પણ છાયા ન જવી જોઈએ. શ્રી સંઘમેરૂ ૫૨ નંદનવનને સ્થાને સંતોષ છે. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સંતોષ એ જ શ્રીસંઘમેરૂનું નંદનવન છે. એ નંદનવનનો ઉપભોગ કોના માટે ? દેવો તથા વિદ્યાધરો કે જે ત્યાં જઈ શકે તેને માટે. બીજા તો કહી દે કે-‘કોણે જોયું એ નંદનવન ?’ તેમ સંતોષનો અનુભવ પણ સંતોષીને જ થાય. જેમ નંદનવનનો ઉપભોગ યોગ્યતા વિનાના કોઈ કરી શકતા નથી તેમ સંતોષરૂપી નંદનવનના આનંદનો ઉપભોગ પણ યોગ્ય જ કરી શકે છે. સંતોષરૂપી નંદનવનની સુગંધી અને મનોહરતા અનુપમ છે. સૂત્રકાર મહાત્માને દુનિયાની કોઈ વસ્તુમાં જે સુખ ન દેખાયું તે સંતોષમાં જ દેખાયું; અને એથી જ મેરૂ ૫૨ના નંદનવન સાથે એની જ સરખામણી કરી. ઇચ્છાનિરોધ વિના સંતોષ ન આવે : • હવે, ઇચ્છાના નિરોધ વિના સંતોષ ન બની શકે એટલે અહીં પણ પાછા નિયમ આવ્યા, નિયમના બંધનમાં આવે તો ઇચ્છાનિરોધ થાય. નિયમના બંધનમાં આવ્યા પછી પણ જે કાંઈ હોય તેમાં સંતોષ માનવો જોઈએ. જે કાંઈ મળ્યું હોય એટલું બસ છે એવું ન માને તો ઇચ્છાનિરોધ ન થાય. ઇચ્છાનિરોધ થયા વિના મન શાંત ન થાય અને મન શાંત ન થાય તો સંતોષ ક્યાંથી થાય ? એ સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ પામી શકે છે, એમ કહીને ત્યાં સાધુને લીધાં પણ ગૃહસ્થને ન લીધા. ત્યાં એમ સમજવાનું છે કે સંતોષનો વાસ્તવિક આનંદ અર્થાત્ પૂરો આનંદ સાધુઓ લઈ શકે છે; બાકી ગૃહસ્થો પણ જેટલા અંશે સંતોષ કેળવે તેટલા અંશે આનંદ લઈ શકે છે. સાધુએ તો સઘળી ઇચ્છાઓનો પરિત્યાગ કર્યો છે; માત્ર એક મોક્ષની ઇચ્છા છે, કે જે સંતોષને બાધક નથી પણ પોષક છે. અશુભ અધ્યવસાયને કાઢવાની પેરવી કરો તમે પણ પ્રભુભક્તિમાં ઘણો સમય વ્યતીત કરો, દેરાસર-ઉપાશ્રયમાં વધારે વખત ગાળવાની ઇચ્છા રાખો, તેમાં સંતોષ હણાવાનો નથી. આત્માને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy