SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ચાલી નીકળવામાં લાંછન નથી, પોતાના આત્માને રોજ પૂછો કે વૈરાગ્ય કેમ નથી થતો ? એક મહિનો એ રીતે આવો તો જરૂર પરિવર્તન આવશે. અમે મુંબઈ આવ્યા ત્યારે લોકો કહેતા હતા કે મુંબઈમાં નવ વાગ્યાથી વધુ શ્રોતાઓને ન રોકાય. પણ ધીરે ધીરે મુંબઈ ટાઇમ પોણા દશ. (સ્ટા. ટા. સાડા દશ) સુધી લાવ્યો છું અને તોય જોઉં છું કે તમને ફાવે છે. તમે માન્યું છે કે કાંઈક મળે છે. આ રીતે હવે જે મળે છે તે લેવાની ભાવના કરી તો પણ થાય. પૂર્વનાં કથાનકોમાં આવે છે કે આચાર્યો નગરમાં પધારતા અને તેમની એક જ દેશનામાં હજારો આત્માઓ સંયમ લઈને ચાલી નીકળતા અને હજારો વ્રતધારી થતા હતા. જયાનંદ કેવલીની વાત જાણો છો ને ? એક લાખ આત્માઓએ એકસાથે દીક્ષા લીધી છે તેમાં પચાસ હજા૨નો તો પોતાનાં પુત્ર-પુત્રી અને પૌત્રાદિ પરિવાર હતો. શ્રી ઋષભદેવસ્વામીની અસંખ્યાતી પાટ સુધીમાં અસંખ્યાતા રાજાઓ, કોઈ મોક્ષે ગયા તો કોઈ સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં ગયા. એમનું ઉત્તમ કુળ હતું. તમારું કુળ પણ ઉત્તમ છે. તમે પણ શ્રી જિનેશ્વરદેવના વારસદાર છો. તમારે પણ નીકળવાની ભાવના રાખવી જ જોઈએ. ભગવાનના શાસનનો વારસદાર તો વિચારે કે-મારા ઘરમાંથી જો કોઈ ન નીકળે તો બધા ચેતનહીન' છે હમણાં કહેશો કે અમારા ઘરને મહારાજે સ્મશાન કહ્યું પણ હું એમ નથી કહેતો. સમ્યગ્દષ્ટિની માન્યતા આ છે તેમ કહું છું. વ્યાખ્યાન વૈરાગ્ય માટે છે : તમારે દશ દીકરા છતાં એમાંનો એકેય કમાતો ન હોય તો એ દશેને ડોબાં જ કહો ને ? ‘દશ છોકરા તો દશેય દિશામાં ઘૂમી વળે છતાં આ ડોબાંઓ એવાં છે કે એમાંનો એક પણ કમાતો નથી;’ એમ કહોને ? દશમાં એક આંધળો, એક કાણો, એક લૂલો, એક બોબડો, એક બહેરો, એક બુદ્ધિનો બુઠ્ઠો, એવા જાતજાતના દશ હોય તો છતે દીકરે પોતાને વાંઝિયા જ માનો ને ? એ રીતે પ્રભુશાસનમાં રહેનારો જો પોતાના ઘ૨માંથી કોઈ પણ ન નીકળે તો એ ઘરને ચેતનહીન માને. આવા પ્રકારની હૃદયની દશા થાય તો પલટો આવે. જે યિા જે માટે કરવાની છે તે તે માટે કરતા થાઓ. વ્યાખ્યાન વૈરાગ્ય માટે છે. સંસારની અસારતા સમજવા માટે છે. માટે રોજ જાતને પૂછો કે-‘વૈરાગ્ય કેમ નથી આવતો ?’ એમ કરતાં તમને શ૨મ આવતી હોય તો હું રોજ પૂછું : હવે મારો તમારો સંબંધ બદલાયો છે ઃ ૧૭૦ 1358 હવે તો મારો તમારે સંબંધ બદલાયો છે. બે-ચkર કોઈ વિરોધી આવતા હોય તો ભલે બાકી તમને બધાને મારા પક્ષના માનું છું એટલે વ્યક્તિગત પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy