________________
1557
૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 -
૧૬૯ કદાચ ગુસ્સો આવે તો તેની ચિંતા આપ ન કરો. આપને અમારી શી પડી છે ?” કેટલીક વખત બાપ દીકરાને શિખામણ આપે તો કેટલીક વખત દીકરો બાપને પણ શિખામણ આપી શકે છે. હું ભૂલતો હોઉં તો મને પણ તમે કહી શકો છો. હું તમને કહ્યું કે, “અમે તમારા પર જીવીએ છીએ' તો તમે અમને ચોખું સંભળાવી શકો કે-“મહારાજ ! આવું ન બોલો. અમારા પર જીવવું હતું તો તમારાં સગાં માબાપને કેમ છોડ્યાં ?' વળી એમ પણ કહી શકો કે-“બાપજી!” આપ આવું બોલીને અમારી મશ્કરી ન કરો. આપ તો આ રીતે અમારી પરીક્ષા કરો છો પરંતુ અમને આવું સાંભળીને દુ:ખ થાય છે. માટે હવે ફરી આવું ન બોલતા. અમારા આધારે આપ નહિ પણ અમે આપના આધારે છીએ.” આ તો હું પણ હમણાં એમ કહ્યું કે હું તો તમારા ઉપર જીવું છું,” તો આવું સાંભળી તમને પણ શેર લોહી ચડે. પરંતુ, અમે સેવક તમારા કે ભગવાન મહાવીરદેવના? મહાવીરદેવપ્ન સેવક તમારા આધારે જીવે ? અને તમારા આધારે જીવનારો ભગવાન મહાવીરદેવને હૃદયમાં રાખી શકે ? નહિ. એ તો ભગવાનને ભૂલી જ જાય. માટે તમે હવે સાવધ બનો. વ્યાખ્યાન ક્યારે ફળે ? - સાધુ તો તમને ઉત્તમ સલાહ આપે પણ તે તમને કડવી લાગે ત્યાં શું ઉપાય ?.અહીં કાંઈ કામ ઊભું થાય કે તમને હૈયામાં ફાળ પડે છે. સાવધ એવા છો કે ખિસ્સાનાં બટન પણ ભિડાવીને જ આવો છો. એ ભિડાવેલા બટનવાળાનાં પણ કંઈક ખિસ્સાં કપાઈ ગયાં તે જાણો છો ને ? અહીં બટન ભિડાવવાનાં ન હોય. અહીં તો જેટલાં ખિસ્સાં ખુલ્લો મૂકો તેટલો લાભ; બજારમાં ખુલ્લાં મૂકશો તેટલી હાની સમજવી. અહીં તો જેવો કઢાવનાર મળે તેવું કાઢતા થાઓ તો કલ્યાણ. અહીં પણ કઢાવનારને બદલે ઘલાવનાર મળ્યા તો હોંકાણું સમજવી. વ્યાખ્યાન સાંભળનારે નક્કી કરીને જ આવવું કે “જઈએ છીએ, મોકો આવ્યો તો કાંઈક લાભ લઈને જ આવવાના અને જો વૈરાગ્ય થયો તો ત્યાં જ રહી જવાના.' આ રીતે વર્તે તો વ્યાખ્યાન ફળે. તમારાથી ન થાય તે વાત જુદી. ઘરે પણ પૂછનાર જોઈએ કે-“આટલું સાંભળવા છતાં વૈરાગ્ય કેમ ન થયો ?' પરસ્પર આવું પૂછનારા ચોકીદાર બનો. તમે પણ ભ. શ્રીમહાવીરદેવના વારસદાર છો !
અહીં આવ્યા પછી વૈરાગ્ય થઈ જાય તો કપડા ઉતારવામાં હરકત શી છે ? આ શાસનમાં એ કાંઈ નવું નથી. શ્રી તીર્થંકરદેવો, ગણધરદેવો, રાજામહારાજાઓ અને મોટા શેઠ શાહુકારો પણ ચાલી નીકળ્યા છે ને ? એ રીતે