________________
1349
– ૧૧: પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - ૧૬૧ પરમેશ્વરનું શાસન વિદ્યમાન હોવા છતાં પણ દુ:ખથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો સંસારઅટવીમાં મહામોહના અંધકારથી સન્માર્ગ લોપાઈ જવાના કારણે મૂઢ મનવાળા બનીને ભટકી રહ્યા છે; તેથી હું આ જીવોને આ પ્રવચનના યોગે યથાયોગ્ય રીતે આ સંસારથી પાર ઉતારું”-આ રીતે વિચારીને સદેવ પરોપકાર કરવાના સ્વભાવવાળા, કરુણાદિ ગુણોથી યુક્ત, પ્રતિક્ષણ પ્રવર્તમાન પરોપકાર કરવાના મહાન આશયવાળા તે મહાત્મા જે જે રીતે બીજાનો ઉપકાર થાય તે તે રીતે પ્રવૃત્તિ કરે છે. તે પછી આ રીતે જીવોના આત્મકલ્યાણનું સંપાદન કરવારૂપ ઉપકારને કરતા તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરીને જીવોનું ઉત્કૃષ્ટ આત્મહિત સાધનાર તીર્થંકરપણાને પામે છે.
-એ મહાન આત્માએ જગતના સઘળા જીવોને વિષયમાં મહાલતા જોયા ત્યારે તેમને આ ભાવના થઈ. આજે તો એ ભાવના છે કે બીજા વિષયમાં મહાલે તેમાં વાંધો શો ? વિષયના વિપાક જેમની દૃષ્ટિ સામે છે તેમને તો એ કારમાં ભાસે છે. એ તે વખતના આનંદને નથી જોતા પણ પરિણામને જુએ છે. માલિકના દૂધના કુંડા પાસે દંડો લઈને માણસ ઊભો હોય ને બિલાડું એને જોયા વિના ત્યાં દૂધ પીવા જાય તો કોઈ દયાળુ આત્મા તો ત્યાંથી એને જરૂર ભગાડે જ. ત્યાં એ બિલાડાને દૂધ પીવા દેવાની દયા તો મૂર્ખને જ આવે. ભોજનમાં અંતરાયનો વિચાર તો ત્યાં અજ્ઞાન હોય તે કરે, જે એ ડંગોરો ન દેખે તે કરે. માથા પર લાઠી ઉગામેલી દેખે તે તો એને દૂધમાં મોં નાખવા જ ન દે. વિષયના વિપાકને જાણનાર વિષયમાં પડેલાને જુએ, વિષયમાં આનંદ માનનારને જુએ ત્યાં એને આનંદ ન જ આવે. “બિચારા ભલે ભોગવે” એવી ખોટી દયા કે ખોટો આનંદ એને ન થાય, એ તો વિચારે છે કે-“અહો ! આ જગતમાં શ્રી જિનેશ્વરદેવનું શાસન હયાતી ભોગવે છે છતાં આ બધા જીવો વિષયને પરવશ બન્યા છે એ મોટું આશ્ચર્ય છે. આ મહાપુરુષની આવી ભાવના તો જૈન-જૈનેતર સઘળા માટે છે, સારાયે વિશ્વ માટે છે જ્યારે હું તો કેવળ સંઘની જે વાત કરું છું. દુનિયાના સઘળાયે જીવો પ્રત્યેની આવી ભાવનાથી શ્રી તીર્થકર નામકર્મની નિકાચના થાય છે. શ્રી સંઘમાં રહેલા આત્માઓ મુક્તિપદે પહોંચવાની ઇચ્છાવાળા તો હોય ને ? એ મહાત્માની કેવી ભાવના ? ઊંચામાં ઊંચી દયા આ. એવી દયાના યોગે ધર્મનો ટકાવ છે.
જ્યાં આવા પ્રકારની દયા નથી ત્યાં ધર્મ નથી. આ દયા વગરનાં દાન, શીલ, તપ તથા ભાવ નિરર્થક છે. જેને ધર્મ પરિણમ્યો હોય તેને વિષયાધીનોને જોઈને આનંદ ન થાય.