SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 148 સહેવામાં ઓછપ ન રાખી. કેવળજ્ઞાન થાય ત્યાં સુધી બધી આપત્તિ વેઠીને એ ભાવના એ મહાન આત્માએ આબાદ સાચવી, અને પરકાષ્ઠાએ પહોંચાડી પણ કેવળજ્ઞાન થયા પછી શું ? -પછી તો ધોધ વહે જ જાય ? તળાવમાં પંપ ગોઠવી પાઇપ નાખી પાણી વહેતું કરવાની યોજના કરી પછી પાણી માટે નળના મૂળ સ્થાને પાણી નાખવા જેવું ન પડે. નળની ચકલી ફેરવો કે પાણી આવે જ. શ્રી જિનેશ્વરદેવના આત્માએ પણ એ ભવમાં એ ભાવના એવી કેળવી છે કે કેવળજ્ઞાન થયા પછી તો એ ધોધ વો જ જાય. ગણધર ભગવંતો, દ્વાદશાંગી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ બધું એ ધોધમાંથી જન્મે છે. કેવળજ્ઞાન થયા પછી તો એ આત્મા કેવળ ઉદાસીન હોય છે, ઇચ્છામાત્રનો તેમનામાં અભાવ હોય છે, રાગદ્વેષનો અંશ પણ એમનામાં હોતો નથી. હવે જે ભાવનાથી તેમણે તીર્થકર નામકર્મ નિકાગ્યું અને એના યોગે શ્રી સંઘની સ્થાપના કરી તે ભાવનાં શ્રી સંઘની એક એક વ્યક્તિમાં પેઠેલી હોય કે નહિ ? જે ભાવનાના યોગે તીર્થકર નામકર્મની નિકાચના થઈ, શ્રી તીર્થંકર પદવી મળી, શ્રી સંઘની સ્થાપના થઈ, તે ભાવના જેનામાં ન હોય તેમને શ્રી સંઘ માનવો એ મૂર્ખાઈ ખરી કે નહિ ? ઊંચામાં ઊંચી દયા : શ્રી જિનેશ્વરદેવ પોતે બંધનવાળા કે બંધન વગરના ? એમને પણ “સવિ જીવ કરૂં શાસનરસી'ની એ ભાવના આવી ક્યારે ? શ્રી તીર્થંકર થયા એ પૂર્વેના ત્રીજા ભવમાં એ ભાવના આવી તે વાત તો સાચી પણ કયા સંયોગો અને કઈ વિચારણાના યોગે આવી ? બીજા બધા વાતાવરણથી દૂર જઈને અમુક વાતાવરણમાં આવ્યા ત્યારે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે __ अहो चित्रमेतद् यत्सत्यपि परमेश्वरे प्रवचने स्फुरत्तेजसि दुःखपरीतचेतसो जन्तवः' संसारगहने महामोहान्धकारविलुप्तसत्पये मूढमनस्का उच्चैः परिभ्रमन्ति, तदहमेतानतः संसारदनेन प्रवचनेन यथायोगमुत्तारयामीति । एवं च चिन्तयित्वा स महात्मा सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्द्धमानमहाशयो यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते । ततः इत्थं सत्वानां तत्कल्याणसम्पादनेनोपकारं कुर्वंस्तीर्थंकरनाम समुपायं परं सत्त्वार्थसाधनं तीर्थंकरत्वमाप्नोति । -પંચસંગ્રહ ટીકા અર્થ: “અહો ! આ કેવું આશ્ચર્ય છે કે-સ્કુરાયમાન તેજવાળું પ્રભાવશાળી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy