SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 1346 ૧૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ન હોય તે તો સંઘ બહાર જ સમજવા. તે સંઘમાં રહીને કરે પણ શું ? જે કહે કે “હમણાં મોક્ષની વાત નહિ' તો તેને કહેવું જ પડે કે “હમણાં તું સંઘમાં પણ નહિ.” શ્રી સંઘમાં હોય તે શું માને ? ખોટી સંખ્યા વધારવાનો આપણને શોખ નથી. રહેવું સંઘમાં અને મોક્ષમાર્ગની આરાધનામાં વિઘ્નો ઊભાં કરવાં તે ચાલે ? સંઘમાં હૃદય તો નિયમોથી બંધાયેલાં હોય. ગમે ત્યારે ઊઠું, ગમે ત્યાં બેસું, ગમે ત્યાં જાઉં, ગમે તે ખાઉં, અને ગમે ત્યારે સૂવું, મારે કોઈ બંધન જ નહિ' આવું કહેનાર સંઘમાં નથી. જે એમ કહે કે-“અમે તો મધ્યસ્થ ગમે તે દેવ, ગમે તે ગુરુ, ગમે તે ધર્મને માનીએ; અરે સર્વદેવ, સર્વગુર, સર્વધર્મને પણ માનીએ; પૂજા બને તો કરીએ, ન કરીએ તો વાંધો શો ?” આવું આવું બોલે તે આ સંઘમાં ન ચાલે. સંઘમાં હોય તે શું કહે ? “દેવ તો અરિહંત જ, બીજા દેવને ન નમીએ; ગુરુ તો નિગ્રંથ જ; પરિગ્રહીને ગુરુ ન માનીએ અને ધર્મ તે જ કે જેનાથી વિષયકષાયની વાસના ઘટે અને જે આત્માને મુક્તિ ભણી ખેંચે. એથી વિપરીત હોય તેને ધર્મ ન જ માનીએ. તેમજ જિનપૂજા વિના ન જ રહેવાય, રાત્રે ન જ ખવાય, વ્યસનો ન જ સેવાય” આવું આવું કહે તે સંઘ કહેવાય. શ્રી શ્રેણિક મહારાજાની ઉત્તમતા : . સભા: “શ્રેણિક મહારાજા તો અવિરતિના યોગે નિયમ વગરના હતા તો પણ તે આવી ઉત્તમ વ્યક્તિ તરીકે કઈ રીતે ઓળખાયા ?” ડગલે ને પગલે ઓળખાય, દુશ્મનને પણ ઓળખાય એવું એમનું વર્તન હતું. દેવ, ગુરુ, ધર્મની આરાધના જ એવી હતી કે છૂપી ન રહે. ભગવાન મહાવીરદેવના સમાચાર સાંભળે કે સિંહાસન પરથી ઊભા થઈ જાય, જે દિશામાં ભગવાન હોય તે દિશામાં સાત-આઠ ડગલાં આગળ જઈને ત્રણ વખત મસ્તક ભૂમિએ અડાડી ચૈત્યવંદન કરતા અને પછી પાછા ફરી સિંહાસને બેસતા. સમાચાર આપનારને ન્યાલ કરી દેતા. ધર્મી ધર્મી તરીકે ન કેમ ઓળખાય ? સંઘમાંનું રત્ન છૂપું કેમ રહે ? પોતાની મરજી આ શાસ્ત્રમાં ન ચાલે’: શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવું અને બંધન ન જોઈએ તો એ ન નભે. બંધનહીનને આ સંઘમાં સ્થાન નથી. દુધાળું એક પણ જાનવર એવું નહિ કે જેને ખીલો ન હોય, વાડો ન હોય. દુધાળાં જાનવરને ખીલો કે વાડો હોય તે ઉપરાંત
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy