SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ – 91 લોકો એને ઉદારતાની ખામી કહે છે. પણ એ ઉદારતાની ખામી નથી, ઉદારતામાં પણ વિવેક જોઈએ. વિવેકહીન યિા કરનારા તો જડ કહેવાય. મોક્ષ આજે ભલે નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? 1345 ૧૫૭ કેટલીક વખત વિવેક વગરનો સદાચાર પણ દુરાચાર ગણાય છે. આવી ઉદારતા દેખાડી શંભુમેળો ભેગો કરવાથી લાભ શો ? એથી તો ઊલટી ધમાધમ વધે. કોઈ એમ કહે કે-‘બધા ભેગા તો કામ કરવા જ થયાને ?' પણ એ કામ કયું ? મોક્ષમાર્ગને વહેતો રાખવાનું કે બીજું ? શ્રી જિનેશ્વરદેવે જે સંઘ સ્થાપ્યો તે મોક્ષમાર્ગને વહેતો રાખવા. ભગવાને સંઘની સ્થાપના જે મોક્ષમાર્ગ ચલાવવા માટે જ કરી. તેને બદલે એ મોક્ષમાર્ગને ઉખેડવા જ ભેગા થાય તો એ સંઘ ક્યાં રહ્યો ? વસ્તુના ઉદ્દેશને અને એની રક્ષાને કદી ભુલાય ? સભા ‘પણ અત્યારે મોક્ષ ક્યાં છે ?’ મોક્ષ ભલે નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? જેને ન આરાધવો હોય તેને માટે તો ચોથા આરામાં પણ મોક્ષ બંધ જ હતો, એ વખતે આરાધના કરવાથી બે પાંચ ભવે મુક્તિએ જવાતું તેમ અત્યારે પણ તથાવિધ આરાધના કરવાથી બેં પાંચ ભવે મુક્તિએ જવાય. મોક્ષ તો માર્ગની પૂરી આરાધના થાય ત્યારે મળે પણ મોક્ષમાર્ગ તો ચાલુ જ છે, સાધુ; સાધ્વી, શ્રાવક, શ્રાવિકા મોક્ષમાર્ગે ચડ્યાં તે તે જ ભવે મોક્ષે ગયાં એવું બધા માટે બનતું નથી. ભલે એ તે ભવે મોક્ષે જતાં નથી પણ એ મોક્ષની આરાધના કરતાં નથી એમ ન કહેવાય. એવું જીવદળ તો કોઈકું જ ઃ જે ભવમાં મોક્ષમાર્ગ આરાધે તે જ ભવમાં મોક્ષે જાય એવું તો શ્રી જિનેશ્વરદેવના આત્મા માટે પણ નથી. મોક્ષમાર્ગ આરાધે તે જ ભવમાં મોક્ષે જનારનું દૃષ્ટાંત તો શ્રી મરૂદેવા માતા જેવું કોઈક જ. અરે, એ એક જ કે જે અચ્છેરારૂપ છે ? અનંતી.ઉત્સર્પિણી અવસર્પિણીએ એવાં આશ્ચર્યો થાય છે. મોક્ષમાર્ગ મળ્યો, કર્મક્ષય થયો, આત્મા એવો લઘુકર્મી થયો કે તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મુક્તિમાં ગયો એવું જ્વદળ તો કોઈક જ. શાસ્ત્રકારોને મરૂદેવી માતાનું દૃષ્ટાંત લખ્યા પછી કહેવું પડ્યું કે આવું દૃષ્ટાંત તો એ એક જ. જે ભવમાં મોક્ષમાર્ગની આરાધના કરી તે જ ભવમાં મોક્ષે ગયાં એવા કોઈ શ્રી જિનેશ્વરદેવ, શ્રી ગણધરદેવ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંત છે ? મોક્ષ તો એક, બે, પાંચ, પચીસ કે અનંતા ભવે પણ મળે પણ માર્ગ હોય તો ને ? મોક્ષમાર્ગ વહેતો હોય તો આરાધના થાય; પછી ભલે કોઈ સાધુ થાય, કોઈ સાધ્વી, થાય, કોઈ શ્રાવક થાય કે કોઈ શ્રાવિકા થાય. જેને મોક્ષમાર્ગ સાધવો જ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy