________________
૧૫૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1344
-તો.... એ સંઘનું ચિત્ત ન કહેવાય :
અનંત ઉપકારી, સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની સ્તુતિ કરતાં તેની મેરૂની સાથે સ૨ખામણી કરે છે. તેમાં પીઠની અને મેખલાની સ૨ખામણી કરી ગયા અને હવે કૂટની સરખામણી કરી રહ્યા છે. મેરૂ ઉપર જેમ ઊંચાં, ઉજ્વલ અને પ્રકાશમાન શિખરો છે તેમ શ્રી સંઘરૂપ મેરૂ પર ઊંચાં (ઉત્તમ), વિશુદ્ધ (ઉજ્જ્વલ) અને પ્રકાશમાન (ઝળહળતાં) ચિત્તો (ચિત્તકૂટો) છે. એ ચિત્તકૂટો ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો રૂપી સુવર્ણ શિલાતલ ૫૨ ગોઠવાયેલાં છે.
શ્રી સંઘનાં ચિત્ત બહુ ઉત્તમ જોઈએ. ઇંદ્રિય તથા નોઇંદ્રિયને (મનને) દમે તેવા નિયમોથી અશુભ અધ્યવસાયનો નાશ થવાથી ઉત્તમ (ઊંચાં) બનેલાં ચિત્ત. શુભ અધ્યવસાયના યોગે પાપમળ ખસવાથી શુદ્ધ (ઉજ્જ્વલ) બને છે અને ઉત્તમ અને શુદ્ધ બનેલાં એવાં એ ચિત્તો સૂત્ર તથા અર્થના નિરંતર સ્મરણથી ઝળહળતાં બને છે. શ્રી સંઘનાં ચિત્ત નિયમહીન ન હોય, બંધનહીન ન હોય, અધમ ન હોય, મલિન ન હોય, તેજહીન ન હોય અને જ્યાં ત્યાં અથડાતાં ન હોય. એ ચિત્ત એવાં ઉત્તમ સ્થાનો સાથે જોડાયેલાં હોય કે અશુભ પરિણામ એને સ્પર્શી જ ન શકે. કોઈનું પણ ભૂંડું કરવાની ભાવના એ ચિત્તમાં ન હોય. જો હોય તો એ સંઘનું ચિત્ત ન કહેવાય.
ઉદારતામાં પણ વિવેક જોઈએ ઃ
શ્રી સંઘનું ચિત્ત નિયમરૂપી શિલાતલ પર ગોઠવાયેલું હોય. નિયમહીન, બંધનહીન, ઉચ્છંખલપણે ભટકતા ચિત્તમાં ઉત્તમતા આવે ક્યાંથી ? એવાના વિચારમાં કે વાણીમાં મેળ ન હોય, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન માનનારો સંઘ પૂજ્ય કોટિમાં નથી કેમકે એ વસ્તુત: સંઘ જ નથી. ચોવીસે કલાક દુશ્મનાવટ વધારનારા અને વેર વાળવાના વિચારો કરનારાં હોય એને સંઘ ન કહેવાય. એવા સંઘને અર્થાત્ એવાં ટોળાંને પૂજવાથી ફાયદો શો ? કાંઈ જ નહિ. લોકમાં પથ્થર એટલા દેવ મનાય છે પણ જૈનોમાં એવું નથી. જેમ જૈનો જેનામાં દેવત્વ હોય તેને જ દેવ માને તેમ સંઘત્વ હોય તેને જ સંઘ માને. પૂજા, સેવા, આરાધના એ બધું સંઘત્વયુક્ત સંઘનું કરાય; સંઘત્વહીન સંઘનું નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેના૨થી સંઘત્વ ઘોળી ન પીવાય. રાગ, દ્વેષ અને મોહના ઝપાટામાં મચ્યા રહેનારાને આ શાસનની પ્રાપ્તિ અને પાલન દુષ્કર છે. જૈન સંઘ તો આખી દુનિયાથી અલગ પડી જાય. બધા પુરુષો અને બધી સ્ત્રીઓને શ્રી જિનેશ્વરદેવે પણ સંઘમાં ગણવાની ઉદારતા ન રાખી. સંઘમાં તો અમુક જ લીધા. આજના