________________
૧૫૨
1340
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ખરેખર સાચા સંઘને પોતાનું સ્વરૂપ બતાવવામાં હરકત શી ? ભગવાનની આજ્ઞાની અવગણના કરનારા પણ ભેગાં થઈ મીટિંગો કરે છે અને પછી જાહેર કરે છે “સંઘ મળી ગયો.” સંઘબહાર થવાની યોગ્યતા ધરાવનારા તેઓ પોતે કરેલા ઠરાવો માટે જાહેર કરે છે કે-“એ સંઘના ઠરાવો સામે ધૂળ ઉડાડવી એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવું છે. સંઘત્વની જરા પણ લાયકાત નહિ ધરાવનારા જ્યારે આવી જાહેરાતો કરે ત્યારે આગમની આજ્ઞાને શિરસાવંદ્ય માનનારો સંઘ પોતાનું સ્વરૂપ બતાવવામાં પાછો કેમ હઠે ? જો કે એમના ઠરાવોની ફૂટી કોડીની પણ કિંમત નથી, એ ઠરાવો માત્ર કાગળ પરના જે છે, કાગળની શોભા વધારનારા જ છે, એ વાત નક્કી હોવા છતાં તેને જાહેર કરાય તો લોક પણ ઓળખે કે-એ નામદારો કોણ છે, અને જૈનસમાજમાં તેમની કિંમત કેટલી છે !” એમ કરવામાં કેટલીક વખત પીછેહઠ પણ કરવી પડે પણ એ પીછેહઠની પણ એક કળા છે. એ કળા પણ આવડવી જોઈએ. મકાન ઊંચું બાંધવું હોય ત્યારે એની ઊંચાઈના પ્રમાણમાં પાય પણ ઊંડો ખોદવો જોઈએ. પીછેહઠ બાયલાઓની અને બહાદુરોની ?
પીછેહઠ કરનારા પણ કાબેલ હોવા જોઈએ. બહાદુરોની પીછેહઠ પણ જીતવા માટે હોય છે, શત્રુને સકંજામાં લેવા માટે હોય છે જ્યારે બાયલાઓની પીછેહઠ ભાગવા માટે હોય છે. * ,
ખોટી રીતે ધસી જનારો અથડાઈ મરે. બળવાન પણ હલ્લો જોઈને એકવાર પાછો હઠે, પણ દાવ આવે ત્યારે એવો છાપો મારે કે શત્રુને વેરવિખેર કરી નાખે. એ ફાવે ને શત્રુઓ માર્યા જાય. ગઈ લડાઈમાં અંગ્રેજોની પૉલિસી જોઈને ? જર્મનીનો હલ્લો આવવા દીધો, એ જીતતું ગયું તેમ તેમ એના લશ્કરને મહાલવા દીધું, પોતે પીછેહઠ કરતા ગયા. અંતે એવી તરાપ મારી કે જર્મનીમાં ભંગાણ પડ્યાં અને તેમનો ભૂંડો પરાજય થયો. જીતવા ઇચ્છનારો કુશળ હોય તે સામાને દોરી ખૂબ ખેંચવા દે, પેલો માને કે હું ફાવ્યો એટલે આસ્તે કરીને છોડી દે અને પેલો પછડાય. લડાઈની આ નીતિ છે. ધાડ આવે ત્યારે હોશિયાર વાણિયો મિલકત છૂપાવી ઘરનાં બારણાં ઉઘાડાં મૂકે. ખાવાની સામગ્રી ખુલ્લી રાખે. નકામા જેવા માલના ગાંસડા બાંધી રાખે લૂંટારામાં અક્કલ ઓછી હોય. જે હાથમાં આવે તે ઉપાડી જાય. પછી વાણિયો મૂછે હાથ ફેરવે અને કહે કેજોયું ! આમ બુદ્ધિના ખેલ ખેલાય.”