________________
૧૫૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1338 મોક્ષને ઉદ્દેશીને જ હોય છે. ભલે એ મોક્ષ ગમે તેવો માને પરંતુ પરોક્ષ એવા મોક્ષ માટે ધર્મની રુચિ સ્વરૂપ ગુણ એનામાં છે. એ ગુણ આજના સુધારક ગણાતા જૈનોમાં પણ નથી. એ સુધારક જૈનો તો કહે છે કે “પ્રત્યક્ષ છોડીને વળી પરોક્ષની સાધના શી ?' માટે તો એ નાસ્તિકની કોટિમાં જાય છે. બીજા નાસ્તિક નહિ પણ એ તો જરૂર નાસ્તિક છે. નિષ્કામ ભક્તિ કરનાર કોઈ પણ વ્યક્તિ મોક્ષે જઈ શકે .
પેલાને મોક્ષની શ્રદ્ધા છે. ભલે મોક્ષ આંખે ન દેખાય પણ એના જ્ઞાનીએ કહ્યો એવો એ માને તો છે જ. બધી કાર્યવાહી છોડી નિષ્કામ ભક્તિ, તપ વગેરે એના શાસ્ત્ર કહ્યા મુજબ એ કરે છે. ફળની ઇચ્છા વગર એ. બધું સમર્પિત બનીને કરે છે અને આમાંનું મારું કાંઈ નથી' એ એમની માન્યતા છે. એ સ્થિતિમાં એ આત્માઓ પણ આગળ વધે અને જ્યારે મમત્વ મટી જાય ત્યારે સમ્યકત્વ આવે જ. સમ્યકત્વ આવે ત્યારે ગમે તે લિંગ હોય તેનો વાંધો નથી. જડ ચેતનનો વિવેક થાય, જડ ચેતન ભિન્ન સમજાય, એને અનુરૂપ પ્રવૃત્તિ થાય, પરિણામે કર્મનો ક્ષય થાય, અજ્ઞાન જાય, કેવળજ્ઞાન થાય અને અંતે મુક્તિ સધાય. લિંગનો આપણને કદાગ્રહ નથી.
सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा ।
समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ।।३।। અર્થ :-“શ્વેતાંબર હોય કે દિગંબર, બુદ્ધ હોય કે બીજા કોઈ, આત્મા સમભાવથી ભાવિત બને છે તે મોક્ષને પામે છે તેમાં સંદેહ નથી.
આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ સંબોધ પ્રકરણનો આ શ્લોક અહીં લગાડાય. મરજી આવે ત્યાં લગાડનારા અજ્ઞાન છે. વસ્તુને વસ્તુ તરીકે અલગ રાખવી ઘટે. ભેગો ખીચડો બફાય ત્યાં ચરમાવર્તની શંકા. ધર્મ બે રીતે થાય છે. મોક્ષ ખાતર થાય અને કેવળ નામના ખાતર પણ થાય. સારી ચીજને પણ ઝેર બનાવાય તો એ ઝેર ગમે તેવી ટેવવાળાને પણ નડે જ. નામના માટે ધર્મ થયો એટલે વસ્તુ જ ફરી ગઈ. અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો :
અપ્રશસ્ત કષાયના ક્ષય માટે જેટલો આશ્રય ક્ષમાનો લેવો જોઈએ તેટલો જ આશ્રય પ્રશસ્ત કષાયનો લેવો જોઈએ. દુનિયાનો રાગ ઘટાડવા માટે એટલો જ રાગ વીતરાગ પ્રત્યે, નિગ્રંથ પ્રત્યે અને ધર્મ પ્રત્યે જોઈએ. ઘરની વસ્તુ