________________
૧૪૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
_1334 પ્રાયશ્ચિત્ત એ જુલાબ છે. કેટલાક દર્દીઓને પહેલાં પણ જુલાબ દેવાય અને કેટલાકને દવાની સાથે પણ દેવાય. હરડેના ઘસારામાં પણ દવા દેવાય કે જેથી દવા દવાનું કામ કરે અને હરડે જુલાબનું કામ કરે. કેટલાક દર્દી એવા હોય કે એને પહેલાં જ જુલાબ આપ્યો હોય તો એ લાંબી પથારી કરે. માટે એવાને તો દવા અને જુલાબ સાથે સાથે જ ચાલુ રખાય. તમે પણ એમાંના છો. માટે નિયમ લેનારને સમજાવી રહ્યો છું કે પૂર્વના પાપની નિંદા અને ગહ ચાલુ રાખો અને પ્રાયશ્ચિત્ત મળે તે કરવા તૈયારી કરો. નિયમ લેનારને પૂર્વના પાપનો પશ્ચાત્તાપ તો રોજ હોય. પણ આ બધું ક્યારે બને ? પાપને પાપ માનો ત્યારે. તમારા નિયમ માટે જો આટલી મહેનત તો સાધુના નિયમ માટે કેટલી ?,
સભાઃ “ગઈ કાલે તો આપે સાધુપણાને સહેલું કહ્યું હતું ને !”
હા, પણ એ બીજી રીતે. સ્યાદ્વાદ અહીં લાગુ કરાય. સંસારમાં રહેવાથી પણ મુક્તિ મળે અને સંસારનો ત્યાગ કરવાથી પણ મુક્તિ મળે એમ કહેવું એ
સ્યાદ્વાદ નથી. સંસારમાં રહી જાય એને મુક્તિ મળે એ વાત સાચી પણ સંસારમાં રહેવા માટે રહે એને મુક્તિ મળે એ વાત ત્રણ કાળમાં પણ ન બને. સંસારમાં રહેવા માટે રહેવું અને સંસારમાં રહી જવું પડે અને રહી જવું. એ બે વાતમાં ભેદ નથી લાગતો ? એમને દોડાવશો તો જ એ કાબૂમાં આવશે?
તમે જ્યાં જાઓ ત્યાં પાછા ન પડો તેવા બનો. હાલનું વાતાવરણ અતિ વિષમ છે અને એ વિષમતામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે. ધર્મના સેવન આડે વિદ્ગોના પહાડ ઊભા થતા જાય છે. એવા વખતમાં વસ્તુસ્વરૂપનો ખ્યાલ નહિ હોય તો ધર્મથી ખસી જતાં વાર નહિ લાગે. જૈનોમાં, જૈનેતરોમાં, દેશમાં અને દુનિયામાં બધે જ ઘોંઘાટ ચાલુ છે; બધે એકસરખી હાલત છે. તમે ગમે તે માનો પણ સામો વર્ગ એનું પ્રચારકામ બરાબર ચલાળે જાય છે, અને એ ચલાવવાનો જ. એમને દોડ્યા વિના છૂટકો જ નથી. આમણ આવે ત્યારે દોડાદોડ કરવી જ પડે. એમને દોડાવવાના જ છે. આંખો મીંચીને દોડે એમ જ કરવાનું છે. પંજાબમેલની ઝડપે દોડે નહિ તો એ ભટકાય શી રીતે ? ગાંડાને થકવવા માટે દોડાવવા જ જોઈએ. દોડ્યા વિના એ થાકે નહિ અને થાક્યા વિના એ માને નહિ. ખૂબ દોડે અને થાકે ત્યારે જ એ કાબૂમાં આવે. ઘણા કહે છે કે આપણે બોલ્યા તો એ હાલ્યા, દોડ્યા અને એમનામાં તેજી આવી. હું કહું છું કે ભલે આવી. કેટલીક વાર સામામાં તેજી લાવવી પણ પડે. દીવો બુઝાવાનો થાય