SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ _1332 ધર્મશૂર બનવા માટે કર્મચૂર બનવું જ એ કાયદો નથી. શ્રીમંત માણસે પોતાની હવેલી સળગાવી પહેલાં દરિદ્ર બનવું અને પછી શ્રીમંત બનવું એમ ? આ બધા કુતર્કો છે અને તે ભયંકર નુકસાનકર્તા છે. જેઓએ નિયમો નથી લીધા તે લેવા માટે વિચારે, પણ જેમણે લીધા છે તેમને કેળવણી આપી રહ્યો છું. જે પાપના ત્યાગનો નિયમ કર્યો તે પૂર્વે સેવ્યું હોય તેનો પસ્તાવો કરો અને ભવિષ્યમાં પાપ ન વળગે તે માટે કિલ્લેબંદી કરો તો નિષ્પાપ જીવને જિવાય... ત્યાગી, પરિવારનું ઘડતર કેવું કરે ? મેં ત્યાગ ન કર્યો તો બધાને એ ત્યાગ કરણીય કેમ ? મેં ત્રીસ વર્ષે ત્યાગ કર્યો માટે દીકરો પણ ત્રીસ વર્ષે જ કરે,” આવું વિચારનારા ત્યાગનું કે નિયમનું સ્વરૂપ સમજી શક્યા નથી. તને ત્રીસ વરસ સુધી સત્યનું ભાન ન થયું તેથી તારા પુણ્યવાન બાળકને પણ ન થાય એમ ? તારો બાળક એનું ભાગ્ય હોય તો આઠ વર્ષે પણ ધર્મ પામે. નિયમ લેનારો તો પોતાના બાળકને પણ નિયમમાં જોડાયેલો અને રક્ત થયેલો જોવા ઇચ્છે. જો એમ ન ઇચ્છે તો પોતે જે વસ્તુના ત્યાગનો નિયમ કર્યો તેને હજી પોતે પાપ માન્યું નથી એમ કહેવું પડે. જે ચીજનો પોતે ત્યાગ કર્યો, એની એવી નિંદા કરે કે એ ચીજ ફરી ઘરમાં આવે નહિ. ઘર ચલાવનાર નિયમધારી થાય તો જેના આધારે ઘર ચાલે તે ઘરના બધા નિયમધારી ન થાય ? જરૂર થાય અને તે માટે શિખામણ, હુકમ અને જરૂર પડે તો વિવેકપૂર્વક બલાત્કાર પણ પોતાના આશ્રિત ઉપર થાય. પાપના હુકમ ન થાય; પાપત્યાગના તથા પુણ્યના હુકમ જરૂર થાય. આશ્રિતને ઉન્નત માર્ગે ચડાવવા બધું કરી શકાય. પાપ માનીને તમે જો તર્યું હોય તો જરૂર એમ કરી શકો. જો પાપ માન્યા વિના તર્યું હોય તો એ ત્યાગની કશી જ કિંમત નથી. મિથ્યાદૃષ્ટિનો તપ અજ્ઞાનતપ ગણાય છે, એનો ત્યાગ તે અજ્ઞાન ત્યાગ ગણાય છે, એની મહેનત ફોગટ મનાય છે. પાપને પાપ માન્યા વિના એનો ત્યાગ વ્યર્થ છે. મિથ્યાષ્ટિના હાથમાં ત્યાગ વગેરે સારી વસ્તુ આવે તોય એની કિંમત નથી. તત્ત્વની પ્રાપ્તિ થયા પછી જ કિંમત છે. મૂરખને મન બધું જ સરખુંઃ મૂર્ખના હાથમાં હીરો કે ચિંતામણી આવે તોય નકામા છે. એ એને પથરાથી અધિક સમજતો નથી. એનાથી કાગડો ઉડાડવાનું ક્રમ એ કરે. જે આત્માએ પાપને પાપ માન્યા વિના એનો નિયમ કર્યો તેને મન હીરો કે ચિંતામણી અને પથ્થર બધું સરખું છે. આ બધું સમજાવવા માટે મહેનત કરી રહ્યો છું. નિયમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy