________________
૧૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1330 કહેવાય ? આ એક પરીક્ષા છે. તમે જો ત્યાગ કર્યો એ સમજપૂર્વકનો હોય તો જેનો ત્યાગ કર્યો એ ચીજને સારી કહેવાય જ નહિ. જ ખોટું ન હોય તો ત્યાગ કેમ ?
દરિદ્રતાને દરિદ્રી તેમજ શ્રીમાન બેય ખોટી જ માને; એકય સારી ન માને. સંસારને સાધુ કે શ્રાવક કોઈ પણ સારો ન જ માને. સંસારને સારો માનનાર એ બેય સાધુ અને શ્રાવક-ધર્મ-કોટિથી બહાર. જો ખોટું ન હોય તો ત્યાગ કેમ ? નિયમ કેમ ? કોઈ સાધુ સંસારને સારો કહે તો એને પૂછી શકાય કે આપશ્રીએ તો કેમ ?” નવકારશીનું પચ્ચખાણ કરનાર આહારને ખોટો કહેવા બંધાયેલો છે. સમ્યગ્દષ્ટિની નવકારશી પણ કીમતી છે. તામલી તાપસના સાઠ હજાર વર્ષ સુધીના છઠ્ઠના પારણે છઠ્ઠના તપ કરતાં પણ એ વધી જાય એમ કહ્યું છે. સભા વચ્ચે નિયમ કર્યા તેમને આ બધું સમજાવી રહ્યો છું. જેનું પચ્ચકખાણ કર્યું તેને પાપમાનો તો જ નિયમ પળે. જેનો ત્યાગ કર્યો તેને પાપ માન્યા વિના, એ પાપ છે એમ કહ્યા વિના, એ પાપના પશ્ચાત્તાપ વિના નિયમ પળતો નથી. એમને પૂછો કે જો સંસાર સારો છે તો આપે ત્યજ્યો કેમ ? - સાધુને શાસ્ત્ર ધર્મના જ દેશક કહ્યા, કેમકે, એ ધર્મ છે. એ દુનિયાની બધી સંસારની ક્રિયાને પાપ જ માને છે. એનાથી સંસારની પુષ્ટિ ન કરાય. એક માણસ સોને જમાડે ત્યારે ધર્મી એની પ્રશંસા શી રીતે કરે ? એ કહે કેમહાપુણ્યવાન ! કેવી ભક્તિ કરી ?' આ રીતે અનુમોદના અને પ્રશંસા કરતાં પણ આવડવી જોઈએ. જમણનાં વખાણ એટલે જમણની વાનગીઓનાસ્વાદનાં વખાણ ન કરાય. ચડવાની નિસરણીથી પણ મૂર્ખઓ પડે અને સાધક સાધનોથી પણ મર્માઓ હારે. નિયમ કરનારના મોંએ તો તાળું મનાય છે. જેનો ત્યાગ કરે તેને એનાથી સારું ન જ કહેવાય. આ પરથી તો સાધુની પણ પરીક્ષા થાય છે. સંસાર સારો. સંસારમાં રહેવામાં વાંધો નથી, એમ સાધુ કહે તો તેમને પૂછવું કે-જો સંસાર સારો હોય તો આપે તજ્યો કેમ ?' , ...એણે પાપને પાપ માન્યું જ નથી:
નિયમ કર્યા પછી “એમાં શું ?' એમ ન બોલાય. જ્ઞાનીએ જે પચ્ચકખાણ નિયત કર્યા છે તેમાં ત્યાગ સિવાય બીજું છે શું ? સામાયિકમાં પણ બે ઘડી સાવદ્ય વ્યાપારના ત્યાગનું જ પચ્ચકખાણ છે ને ? જે પાપનો ત્યાગ કરે તે