________________
૧૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1326 વિચારશક્તિ છે, સામગ્રી છે તો હવે ડાહ્યા બનો અને સદુપયોગ કરતા થાવ.
સટ્ટામાં સુખ ન માનતા. સટોડીઆને જીવનમાં સુખ કે શાંતિનો અનુભવ ભાગ્યે જ હોય છે. સટોડીઆનો મેળાપ પણ મુશીબતે થાય. સવારમાં ઊઠે ત્યારથી એના તાર ટેલિફોન ચાલુ થઈ જાય. મોટરમાં બેઠે પણ એનો જીવ અધ્ધર હોય. ઘેર પૂછો કે શેઠ ક્યારે આવશે ? તો જવાબ મળે કે-“એ તો શેઠ જાણે, આવે ત્યારે ખરા. એમનો કોઈ મેળ નહીં.” શેઠના ભેજામાં એક તરફ તેજી રમતી હોય તો બીજી તરફ મંદી ચાલતી હોય ને હૈયામાં હાય પૈસો ! હાય પૈસો ! થતું હોય. આમ ને આમ ઘણા સટોડીઆ મરી ગયા અને મરતાં નવકાર પણ ન પામ્યા.
સભાઃ “સટ્ટો કોને કહેવાય ?
એ તમને ખબર. તમેય જાણો છો ને હું પણ જાણું છું કે શેર, ચાંદી, સોનું, રૂ, તેલ, અનાજ બધાના સટ્ટા ચાલે છે. સાધુઓને અઢારમી સદીના કહેનારા મૂઢ અને ગમાર છે. હું પણ તમારી જેમ વીસમી સદીમાં જ છું. શાસ્ત્રનો ઉપયોગ સદીની વિષમતાને છેદવામાં કરવાનો છે. એક પણ પાપને ચાલવા દેવા સાધુઓ તૈયાર નથી. શાસ્ત્રોમાં તો દિશાસૂચન હોય પણ વ્યવહારમાં શું ચાલે છે, એનો ઉપયોગ કેમ થાય છે, એ તમારા જેવા પાસેથી જાણીને પણ કહીએ. શાત્રે સૂચવેલી દિશાથી અમે કરેલાં અનુમાન પોણી સો ટકા એટલે નવાણું ને ત્રણ પાણ તો સાચાં જ નીવડે, બાકી છદ્મસ્થ રહ્યા એટલે પા ટકાની ભૂલ તો કબૂલવી પડે.
જીવનમાં અનાજ વિના ન ચાલે એ માન્યું પણ ચાહ, પાન, બીડી, સિગારેટ, નાટક, સિનેમા વગેરે વિના ન ચાલે એ મનાય ? આવા ફાલતુ ખર્ચા બંધ કરો તો એ ખર્ચામાં કોઈ કુટુંબને મોજથી નભાવી શકો. બેકારીના જન્મદાતા તમે જ છો. જ્યાં ત્યાં બહાર ખાવામાં મજા નથી. હૉટેલમાં તાજું ભાગ્યે જ મળે. માટે મોટે ભાગે વાસી હોય.ચાહ વિના ન ચાલે તો ઘેર અને એકવાર પીને ચલાવતાં શીખો. ફાલતુ ખર્ચા બંધ કરો તો ઘણાં કુટુંબને પોષી શકો. ધારે તો મહિને દશ-બાર રૂપિયા સહેજે એક આદમી બચાવી શકે છે, જેમાંથી ખુશીથી બીજા એકનો ગુજારો થાય. પરસ્ત્રીગમન એ વેશ્યાગમન :
આ બધાં હાનિકર વ્યસનો છોડાવી મારે તમને સારા સદાચારમાં લઈ જવા છે. પારકી સ્ત્રી કાંઈ બાપીકો માલ નથી કે જેના તેના ઉપર દૃષ્ટિ મંડાય.
૧. આ સાઠ વર્ષ પહેલાંની વાત છે. આજે તો રોજના એથી પણ વધારે બચાવી શકે.