________________
૯ : શું સટ્ટો, જુગાર નથી ? – 89
૧૩૩
નથી, ત્યારે અધીર બનેલી વેશ્યાએ કહ્યું કે-‘હવે ઊઠો, રસોઈ ઠરી જાય છે,’ ત્યારે શ્રી નંદિષણજી કહે છે કે-‘પણ આ દશમો તૈયાર થતો નથી.' ત્યારે સહસા વેશ્યાથી બોલાઈ જાય છે કે ‘તો પછી એ દશમા તમે તૈયાર થઈ જાઓ.’ આટલું વચન સાંભળતાં તરત જ શ્રી નંદિષેણજી ચાલી નીકળ્યા. ફરી મુનિપણું લઈને સાધી ગયા.
1321
પૂ. આચાર્ય ભગવંત શ્રી સેનસૂરિ મહારાજા કહે છે કે
નિયમ લીધા પછી પણ તીવ્ર કર્મોદયે જેનો નિયમ ભંગ થયો છે તે લઘુકર્મી છે અને ભાગવાના ભયે જેણે નિયમ લીધો જ નથી તે ગુરુકર્મી છે. ગુરુકર્મી આત્મા નિયમનો લાભ પામી શકતા નથી. ભાંગવાના ભયે નિયમ ન લેવો તે અજ્ઞાનતા છે. નિયમ લેનારને લેતાં પહેલાંની ભાવના, લેતી વખતની પરિણામ શુદ્ધિ, નિયમ પાલનની કાળજી, નિયમનું પાલન, એ બધાથી થતી નિર્જા અને શુભાશ્રવનો લાભ અપૂર્વ થાય છે. નિયમ નહિ લેનારો આ બધા લાભથી વંચિત રહે છે. નિયમ લેનારો ભાંગવાની ભાગનાવાળો ન હોવો જોઈએ પણ પાળવાની તીવ્ર ઉત્કંઠાવાળો હોવો જોઈએ.
સાધુપણાનો માર્ગ સરળ છે, શ્રાવકપણાનો માર્ગ કાંટાળો છેઃ
બે વિભાગની વાત કરી ગયા. હવે ત્રીજો વિભાગ એવો છે કે જે એમ માને છે કે નિયમ લેવો ખરો પણ એવો લેવો કે મરતાં સુધી યાદ જ કરવો ન પડે. એક નિયમમાં એ સો બારી રાખે. પરિગ્રહનું પરિમાણ કરે પણ એમાં પાંચ બ્રેડની મર્યાદા કરે, પછી વાંધો શો ? પચાસના પગારવાળો પણ પરિગ્રહના પરિમાણમાં મીંડા ચડાવ્યે જ જાય. તે પછી પણ પાછી છૂટ રાખે. વધે તો બૈરાં છોકરાંના નામેં કરે. દાગીના ભેગા હોય તે જુદા કરી નાખે. હવે આવા નિયમમાં અંકુશ ક્યાં રહ્યો ?
સાધુપણાનો માર્ગ સહેલો છે માટે ભગવાને એને પહેલો બતાવ્યો. શ્રાવકપણાનો માર્ગ કાંટાળો અને કચરાળો છે. મુંબઈ જેવા શહે૨માં તમને છૂટા મૂકવા અને હૉટેલમાં પેસવા ન દેવા એ બને ? નવાં નવાં નાટકો અને નવી નવી ફિલમો જોયા વગર તમે રહો ? માટે જ તમારો માર્ગ કઠિન છે; અહીં આવો તો માર્ગ સહેલો છે.
શેઠિયાઓને ત્યાં દરવાજે ભૈયા ઊભા હોય છે તે રીતે તમે પાંચ ઇંદ્રિય તથા મન પર નિયમરૂપી ભૈયાઓની ચોકી રાખો. એ ભૈયાઓ બંધૂકવાળા રાખો. હમણાં તમને ભૈયા મળ્યા છે તે તો ચોરના સાથીદાર છે. તમારી એક