SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1320 વખતની કર્મનિર્જરા અને થતો શુભબંધ એ વગેરે લાભ છે જ અને તેની ખાતરી કોઈ પણ આપી શકે. શ્રી નંદિષેણ મુનિવરે મહાવ્રત ભાંગ્યું કે તરત આત્મા ડંખ્યો. તે જ વખતે બીજો નિયમ લીધો, તમે તો ભાંગવાના ભયથી લેતા જ નથી પણ આ તો જેવા ફસાયા કે ત્યાં જ, તે જ વખતે, ત્યાંથી છૂટવા માટે બીજો નિયમ લે છે. નિયમના ભંગના અમલમાં જ એ ફસામણમાંથી છૂટવાં બીજો નિયમ લઈ લે એ કેવી વાત ! પાંચ મહાવ્રતોનો જે વખતે ભંગ કરે છે તે જ વખતે એ મહાવ્રતોની પુનઃ પ્રાપ્તિ માટે બીજો નિયમ કરી લે છે. એ નિયમ પણ એવો કડક લે છે કે જેથી જેથી પોતાનો બચાવ થયા વિના રહે નહિ; અને બચાવ ન થાય ત્યાં સુધી અનેક ઉપકાર થયા જ કરે. મહાત્મા શ્રી નંદિષેણ મુનિ થઈને વેશ્યાને ત્યાં આવ્યા અને મુનિ થયા વગર આવ્યા હોત તો એમાં ફેર પડત કે નહિ ? વ્રતભંગની વાત ભગવાન પોતે જાણતા હતા છતાં દીક્ષા આપી. કેમકે કર્મની વિચિત્ર ગતિ પણ તેઓ જાણતા હતા. શ્રી નંદિષણજીને પડતી વખતે પણ કર્મની એ સ્થિતિમાં બચવાની ભાવના થઈ અને એ સ્થિતિમાંથી છટકી શકાય તેવો નિયમ લીધો કે “રોજ દસ જણાને પ્રતિબોધ કરીને ગુરુ પાસે દીક્ષા લેવા ન મોકલું ત્યાં સુધી ભોજન લેવું નહિ.” આ કેવો નિયમ ? નિયમ છે કે જેનાથી ઇંદ્રિયો તથા મન, કાબૂમાં આવે; નિયમ છે કે જેને ચોવીસે કલાક યાદ કરવો પડે. શ્રી નંદિષેણ મુનિનો આ નિયમ એવો હતો કે સવાર પડે ને તેના પ્રયત્નમાં રહેવું પડે. એવા પુણ્યવાન મળે કે જે સંસાર તજીને ચાલી નીકળે ને તે પણ એક બે નહિ પણ રોજના દશ. એ મળે પછી જ ભોજન લેવાય. આ સહેલું નથી. નિયમના પ્રેમી હતા તો નિયમના ભંગ વખતે પણ આ સ્થિતિ રહી. શાસ્ત્રકારો કહે છે કે નિયમભંગના આવા પાત્તાપ પાસે તો નિયમભંગનું પાપ ક્યાંય બળીને ભસ્મ થઈ જાય છે. - ભાંગવા માટે નિયમ લેનારા તો દંભી અને લુચ્ચા છે. પાળવાની બુદ્ધિએ નિયમ લેવાય અને સાચવવા પૂરેપૂરી કાળજી રખાય એના નિયમનો દેવયોગે, તીવ્ર કર્મોદય યોગે ભંગ થાય તો પણ એ મહાપુણ્યવાન છે. * શ્રી નંદિષણ મુનિએ આ નિયમથી બાર-બાર વર્ષ સુધી રોજ દસ-દસ જણને પ્રતિબોધ મુક્તિમાર્ગના મુસાફર બનાવ્યા. અંતે એક દિવસે નવ જણ પ્રતિબોધ પામ્યા અને છેલ્લો એક દસમો કોઈ પણ હિસાબે પ્રતિબોધ પામતો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy