________________
૧૩૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
– 1320 વખતની કર્મનિર્જરા અને થતો શુભબંધ એ વગેરે લાભ છે જ અને તેની ખાતરી કોઈ પણ આપી શકે.
શ્રી નંદિષેણ મુનિવરે મહાવ્રત ભાંગ્યું કે તરત આત્મા ડંખ્યો. તે જ વખતે બીજો નિયમ લીધો, તમે તો ભાંગવાના ભયથી લેતા જ નથી પણ આ તો જેવા ફસાયા કે ત્યાં જ, તે જ વખતે, ત્યાંથી છૂટવા માટે બીજો નિયમ લે છે. નિયમના ભંગના અમલમાં જ એ ફસામણમાંથી છૂટવાં બીજો નિયમ લઈ લે એ કેવી વાત ! પાંચ મહાવ્રતોનો જે વખતે ભંગ કરે છે તે જ વખતે એ મહાવ્રતોની પુનઃ પ્રાપ્તિ માટે બીજો નિયમ કરી લે છે. એ નિયમ પણ એવો કડક લે છે કે જેથી જેથી પોતાનો બચાવ થયા વિના રહે નહિ; અને બચાવ ન થાય ત્યાં સુધી અનેક ઉપકાર થયા જ કરે.
મહાત્મા શ્રી નંદિષેણ મુનિ થઈને વેશ્યાને ત્યાં આવ્યા અને મુનિ થયા વગર આવ્યા હોત તો એમાં ફેર પડત કે નહિ ? વ્રતભંગની વાત ભગવાન પોતે જાણતા હતા છતાં દીક્ષા આપી. કેમકે કર્મની વિચિત્ર ગતિ પણ તેઓ જાણતા હતા. શ્રી નંદિષણજીને પડતી વખતે પણ કર્મની એ સ્થિતિમાં બચવાની ભાવના થઈ અને એ સ્થિતિમાંથી છટકી શકાય તેવો નિયમ લીધો કે “રોજ દસ જણાને પ્રતિબોધ કરીને ગુરુ પાસે દીક્ષા લેવા ન મોકલું ત્યાં સુધી ભોજન લેવું નહિ.” આ કેવો નિયમ ?
નિયમ છે કે જેનાથી ઇંદ્રિયો તથા મન, કાબૂમાં આવે; નિયમ છે કે જેને ચોવીસે કલાક યાદ કરવો પડે.
શ્રી નંદિષેણ મુનિનો આ નિયમ એવો હતો કે સવાર પડે ને તેના પ્રયત્નમાં રહેવું પડે. એવા પુણ્યવાન મળે કે જે સંસાર તજીને ચાલી નીકળે ને તે પણ એક બે નહિ પણ રોજના દશ. એ મળે પછી જ ભોજન લેવાય. આ સહેલું નથી. નિયમના પ્રેમી હતા તો નિયમના ભંગ વખતે પણ આ સ્થિતિ રહી. શાસ્ત્રકારો કહે છે કે નિયમભંગના આવા પાત્તાપ પાસે તો નિયમભંગનું પાપ ક્યાંય બળીને ભસ્મ થઈ જાય છે. - ભાંગવા માટે નિયમ લેનારા તો દંભી અને લુચ્ચા છે. પાળવાની બુદ્ધિએ નિયમ લેવાય અને સાચવવા પૂરેપૂરી કાળજી રખાય એના નિયમનો દેવયોગે, તીવ્ર કર્મોદય યોગે ભંગ થાય તો પણ એ મહાપુણ્યવાન છે. *
શ્રી નંદિષણ મુનિએ આ નિયમથી બાર-બાર વર્ષ સુધી રોજ દસ-દસ જણને પ્રતિબોધ મુક્તિમાર્ગના મુસાફર બનાવ્યા. અંતે એક દિવસે નવ જણ પ્રતિબોધ પામ્યા અને છેલ્લો એક દસમો કોઈ પણ હિસાબે પ્રતિબોધ પામતો