SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : શું સટ્ટો, જુગાર નથી ? – 89 કેટલાક તો વળી દલીલ કરે છે કે-‘અમુક વસ્તુનો નિયમ કર્યો, પછી તેનો ભોગવટો થાય નહિ ને ઇચ્છા થયા કરે તેથી આર્તધ્યાન થાય, તો એનું પાપ ન લાગે ? નિયમ ન હોય તો તરત ભોગવટો કરી લે એટલે આર્તધ્યાન તો ન થાય. શાસ્ત્ર કહે છે કે દુર્ધ્યાનમાં પાપ તો ખરું પણ ભોગવટો કરવાથી થાય તેટલું નહિ-‘મારી નાખું, કાપી નાખું, ખૂન કરું' આ બધી ભાવના કરી, અરે તલવાર પણ ખેંચી પણ જ્યાં સુધી માથું કાપ્યું નથી ત્યાં સુધી દુનિયાના કોઈ જજ્જની તાકાત નથી કે એને ફાંસીનો હુકંમ કરે. 1319 ૧૩૧ શાસ્ત્ર કહે છે કે મનથી ગમે તેટલા લોચા વાળ્યા પણ કાયાની ક્રિયા નથી થઈ ત્યાં સુધી વ્યવહાર અશુદ્ધ નથી બનતો. જો વિચાર માત્રથી જ સારું, ખરાબ થઈ જતું હોય તો તમારે કમાવા માટે પેઢી ખોલવાની જરૂર શી ? લાખ મળવાના વિચાર કરો એટલે કામ પત્યું. પણ ત્યાં તો ક્રિયા કર્યા વિના રહેતા નથી; તો અહીં એ નિયમ કેમ નહિ ? નિયમના વિરોધીઓ ભાંગવાનો ભય બતાવી અનેક આત્માઓને નિયમથી વંચિત બનાવે છે. અતિક્ર્મ, વ્યતિક્ર્મ, અતિચાર થઈ જાય પણ ભંગ એ જુદી ચીજ છે. અનાચાર થાય ત્યારે ભંગ થાય છે. પડતાં પડતાં પણ ચડવાનો નિયમ: ભગવાન પણ જેનો નિયમભંગ જાણતા હતા તેને નિયમ લેતી વખતે અટકાવ્યા નહિ, કેમકે ભગવાન એ પણ જાણતા કે કેટલીયે વાર ચડશે, ત્યારે એનું ઠેકાણું પડશે. મરૂદેવીમાતાનું દૃષ્ટાંત લેનારા લે છે પણ એવું દૃષ્ટાંત તો એ એક જ. ભરત મહારાજાના આરીસાભુવનમાં કેવળજ્ઞાનની વાતો કરનારા એમની પૂર્વની તીવ્ર આરાધનાને યાદ નથી કરતા. બાકી વીંટીઓ તો કેઈની સરી પડી, પાઘડી કેટલાયની ઊડી ગઈ, મહેલ અને બંગલા કેટલાયના ચાલ્યા ગયા, પણ વૈરાગ્ય કોને થયો ? અન્યત્વભાવના કોને આવી ? એકત્વ-ભાવનામાં ક્યારે રમતા થયા ? ઘરમાં કોઈ ભાવ ન પૂછે ત્યારે રૂવો અને એકત્વભાવના ભાવો એ જુદી વાત છે, પણ તે મોહના ઘરની; વિવેકના ઘરની નહિ. વિવેકના ઘરની હોય તે તો એકલો પડે ત્યારે રોતો ન હોય પણ મજામાં હોય. તમને કર્મના પલટાની ખબર નથી. શુભોદય ચાલતો હોય, શુભબંધ પણ થઈ રહ્યો હોય પણ જીવનમાં એક કાર્યવાહી એવી થાય કે શુભ ઉદય તો અશુભમાં પલટાય પણ શુભબંધ પણ અશુભમાં પલટાઈ જાય. ક્ષણ માત્રમાં પલટાઈ જાય એવી કર્મની દશા છે. માટે નિયમ ન ભાંગવાની ગેરંટી કોઈ ન આપે પરંતુ નિયમ લેતી વખતની ભાવશુદ્ધિ, પાલનકાળમાં થતો લાભ, તે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy