________________
આપવો એ જ તમારો ધર્મ છે, કદાચ તમે સાથ ન આપી શકો, તો ય મૌન રહેવાની તમારી ફરજ છે એના બદલે તમે અમને અટકાવવા આવ્યા છો. એ બહુ દુ:ખની વાત ગણાય !”
જેને ખોટી શેહ-શરમ નડે એ સાધુની સાધુતા સબળ ન ગણાય. પૂજ્યશ્રીના બોલમાં ઘુમરાતી બહાદૂરી, નયનોમાં નાચતી નીડરતા અને મોં પર મલકાતી મર્દાનગીની કોઈ જાદૂઈ અસર થઈ અને પ્રવચન બંધ રખાવવા આવેલા શ્રદ્ધાળુઓને પોતાની ભૂલનો તરત જ ખ્યાલ આવી ગયો. એમણે શાસન-સેવાની મશાલને વધુ સુદૃઢતાથી ઉઠાવીને ઠેર ઠેર ઘૂમવાનો નિર્ણય કર્યો ને મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના શાસનના મર્મને સમજાવતા અને જમાનાવાદની સામે કાતિલ ઘા કરતા એ પ્રવચનોનો પ્રવાહ વધુ જોરશોરથી વહી રહ્યો.
આ અરસાનું મુંબઈનું વાતાવરણ જ ઝંઝાવાતથી ભરેલું હતું. મહાવીર-વિદ્યાલયની સામે શાસન રક્ષકોએ જગાવેલી વિરોધી ઝુંબેશે એ ઝંઝાવાતમાં ઠીક ઠીક જોશ પૂર્યું હતું. પૂ. પંન્યાસજી શ્રી ખાંતિવિજયજી મહારાજની ચકોર નજરે વિદ્યાલયની કેટલીક અજુગતી પ્રવૃત્તિઓને પકડી પાડી હતી અને એની સામે મહત્ત્વનું માર્ગદર્શન કરાવતા એઓ ઠેર ઠેર એ જ વાતને પોતાના પ્રવચનોમાં કહેતા હતા કે, “બુટ ચંપલો પહેરીને ધાર્મિક-પુસ્તકોનું શિક્ષણ-વાંચન કરી શકાય નહિ. મહાવીરનું પ્રભુનું નામ ધરાવતી સંસ્થા, હિંસાને વધારનારું શિક્ષણ આપી જ ન શકે.’ વિરોધના આ મુદ્દાને એઓ ખૂબ જ વિસ્તૃત કરીને સમજાવતા હતા, એથી વિદ્યાલયના પક્ષપાતી સુધારકોએ એમને ‘દેડકાચાર્ય' તરીકે નવાજ્યા હતા. | શ્રી રામવિજયજી મહારાજે પણ વિદ્યાલયના વિરોધ અંગે માર્ગદર્શન આપવું શરુ કર્યું. એથી વિરોધમાં આવેલા વેગને ખાળવા વિદ્યાલયની એ વખતની આગેવાન-ત્રિપુટી એમની સમક્ષ ઉપસ્થિત થઈ. એણે કહ્યું “આપના જેવા મુનિરાજોએ તો વિદ્યાલય જેવી ઉપકારક સંસ્થાઓનો પ્રચાર કરવો જોઈએ, એના બદલે આપ વિરોધ કેમ કરો છો ?' - પૂજ્યશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “આ મહાવીર વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારે એ જ આશય હતો કે, બહારગામથી મુંબઈ ભણવા માટે આવનાર બાળકો રાત્રિ-ભોજન ત્યાગ, અભક્ષ્ય-ભક્ષણ ત્યાગ, જિનપૂજા, નવકારશી આદિ ધર્મ-સંસ્કારોને વળગી રહીને, થોડું ઘણું ધાર્મિક શિક્ષણ પામી શકે ! બોલો, મારી આ સમજણ તો ખોટી નથી ને ?”
૧૦