________________
૯ : શું સટ્ટે,
જુગાર
નથી ?
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧૪, ગુરુવાર, તા. ૧૩-૩-૧૯૩૦
♦ ભારે કર્મી કોણ ? નિયમ ન લેનાર કે લીધા પછી સંયોગવશ ભાંગનાર ?
૭ નિયમથી થયેલો લાભ :
૭ અતિચાર અને અનાચાર:
પડતાં પડતાં પણ ચડવાનો નિયમ :
સાધુપણાનો માર્ગ સરળ છે. શ્રાવકપણાનો માર્ગ કાંટાળો છે :
સાતેય વ્યસનોને દેશવટો આપતા મહારાજા કુમારપાળ :
♦ નિયમની મહત્તા :
♦ સટ્ટો અને જુગાર :
♦ સંતોષનું સુખ સમજાય તો સટ્ટો બંધ થાય :
♦ પરસ્ત્રીગમન અને વેશ્યાગમન :
89
ભારે કર્મી કોણ ? નિયમ ન લેનાર કે લીધા પછી સંયોગવશ ભાંગનાર ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં હવે ચિત્તરૂપી કૂટો (શિખરો)ના સ્વરૂપને વર્ણવે છે. મેરૂની શોભા માટે જેમ શિખરો જોઈએ તેમ શ્રી સંઘરૂપ મેરૂને પણ ઉત્તમ પ્રકારનાં અંતઃકરણ જોઈએ; જે ઊંચાં, ઉજ્વલ અને પ્રકાશમાન હોય. ઇંદ્રિયો અને મનનું દમન થાય એવા નિયમોથી અંતઃકરણ ઊંચા પ્રકારનું બને છે; કેમકે તેનાથી અશુભ અધ્યવસાય નાશ પામે છે; પછી શુભ અધ્યવસાયના યોગે કર્મમલ ખસવાથી એ ઉજ્વલ બને છે અને પછી નિરંતર સૂત્ર તથા અર્થનું સ્મરણ કરવા વડે એ ઝળહળતાં બને છે. આવાં અંત:કરણોથી જ શ્રી સંઘરૂપ મેરૂની શોભા છે. શિખરો વિના જેમ મેરૂ ન શોભે તેમ ઉત્તમ અંતઃકરણ વિના શ્રી સંઘરૂપ મેરૂ ન શોભે.
સભા અંત:કરણ એટલે ?’
આત્મામાં મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરવા દ્વારા થતા વિચાર. આત્મા તો અનંતજ્ઞાનાદિ ગુણોનો ધણી છે પણ જ્યાં સુધી એ બહારના કુસંસર્ગમાં છે ત્યાં સુધી વિચાર ખરાબ રહેવાના છે.