SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1314 માગવાને ટેવાયેલી છે, પુરુષને માટે એ વાત કઠિન છે. વિષયની ગુલામી પુરુષ ખાનગી ગમે તેટલી સ્વીકારે પણ સ્ત્રી જાહેરમાં સ્વીકારે છે. બજાર વચ્ચે દુકાન માંડનાર સ્ત્રીઓ છે. સભા: ‘કહે છે કે, શાસ્ત્રોના પ્રણેતા પુરુષો હતા માટે પુરુષની પ્રધાનતા બતાવી છે.” એ વાત પણ સાચી નથી. પુરુષવચન પ્રમાણ નથી કહ્યું પણ આપ્તવચન પ્રમાણ કહ્યું છે. સર્વજ્ઞ થયેલાનું વચન પ્રમાણ છે, જે સર્વજ્ઞ હોય છે તેને પુરુષવેદ કે સ્ત્રીવેદ બેમાંથી એક પણ વેદનો ઉદય નથી હોતો. એ અવેદી હોય છે. માટે એમનું વચન પ્રમાણભૂત છે. વિષયાધીન પુરુષોનું વચન પ્રમાણ નથી. આ બધી અનુભવસિદ્ધ વાતો અનુભવી હોય તે જાણે. બીજા તો એક બાજુ બેઠાબેઠા વા ખાયા કરે. પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું કે વેધકતા વેધક લહે બીજા બેઠા વા ખાય.” અહીં પણ એ જ વાત છે. જેને સમજવું હોય તે સમજે બાકી જેને હવા ખાવી હોય તે ભલે ખાય. વેશ્યાને ત્યાં જનારનો પરલોક જ બગડે છે એમ નથી, આ લોકમાં પણ એની બૂરી હાલત થાય છે. મારાપણાની લાગણી ન હોવાથી સામાની પાયમાલીમાં વેશ્યાને સહેજ પણ અસર થતી નથી. વેશ્યાનો સહવાસ મહાભયંકર છે. એ સહવાસમાં ગયેલો એવો તો ગબડે છે કે છેક તળિયે જઈને પટકાય છે. એક પછી એક દુર્ગુણો એનામાં દાખલ થવા માંડે છે, અનેક આપત્તિઓનો એ ભોગ થાય છે, અનેક રોગોમાં એ પટકાય છે અને અંતે પાયમાલ થઈ, બેઆબરૂ બની દુર્ગતિનો મહેમાન બને છે. આ રીતે વ્યસનોના ત્યાગ અને નિયમો અંગે શાસ્ત્રકાર ભગવંતો હજી પણ વિશેષ શું ફરમાવે છે, તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy