________________
1909
- ૮ નિયમ નાનો પ્રભાવ મોટો - 88
૧૨૧
ક્યારે ? અભક્ષ્ય ભક્ષણ, અનાચાર, કુવ્યસનો વગેરે જાય ત્યારે. એ દૂર થાય ત્યારે જ સવિચાર આવે. પૂર્વના શ્રાવકો પુયયોગે મળેલી સામગ્રીને ભોગવતા પણ અનાચારના છાંયડે કદી જતા ન હતા. જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ખાય તે માનવ કે પશુ?
જે તે ખાવું, જ્યારે ત્યારે ખાવું, જ્યાં ત્યાં ખાવું એ જેનને ન શોભે. ભાણે બેસી શાંતિથી જમી લેવું એમાં જ માણસાઈ છે. પશુ બોલી ન શકે, તેથી એને જે કાંઈ અરધુંપરધું મળ્યું હોય તે ખાઈ લે અને ભૂખ્યું હોય તેથી ફરી મળે ત્યારે ફરીથી ખાય. પણ ભાણે બેસી પૂરતું ખાઈ શકનાર માણસને વારંવાર જ્યાં ત્યાં અને જે તે ખાવાની ને વાગોળવાની જરૂર શી ? .
કલ્પસૂત્રમાં આવે છે કે વારંવાર ખાનારા અને બહુ ખાનારા મોટે ભાગે તિર્યંચગતિમાંથી આવેલા અને તિર્યંચગતિમાં જનારા છે એમ સૂચવે છે. પશુને જોઈતું ન મળે તેથી જ્યારે જે મળે તે ખાધા કરે પણ માણસને તો ભાણે બેસીને ખાવા છતાં વારંવાર ખાવાની જરૂર પડે, તો માણસમાં ને પશુમાં તફાવત શું ? માણસ તો પશુથી પણ આગળ વધ્યો કારણ કે પશુ તો બિચારું જે આપો તે જ ખાય જ્યારે માણસને તો ચાર રોટલી ખાવા માટે આજુબાજુ બીજી ચાલીસ ચીજો જોઈએ છે. જેમ ભાણામાં ચીજ વધારે તેમ માણસ મોટો શ્રીમાન એવી તમારી માન્યતા ઘડાઈ ગઈ છે. શાસ્ત્ર એનાથી જુદું ફરમાવે છે. એ કહે છે કે જેમ ખાનપાનની કે. ભોગોપભોગની સામગ્રી ઓછી તેમ તેનામાં જૈનત્વનો અંશ વધારે. તમારે પેટ ભરવા ભોજનની જરૂર કે ઇંદ્રિયોને બહેકાવનારાં સાધનોની જરૂર ? હમણાં ભોજન ચાલે છે કે ઇંદ્રિયોને બહેકાવવાની પ્રવૃત્તિ ચાલે છે ?
નિયમો અનેક પ્રકારના છે. ઇંદ્રિય તથા મનને દમે એવા નિયમો આત્મકલ્યાણકર છે. સાતે વ્યસનનો ત્યાગ તો જૈનજીવન સાથે જડાયેલો જ હોય. શ્રાવક પર્વતિથિએ પૌષધ કરે, નિયત તિથિએ ઉપવાસ કરે, ભોજન વખતે ઉણોદરી, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ વગેરે કરે; લાલસાને અને વૃત્તિઓને અંકુશમાં રાખવા ચૌદ નિયમ ધારે.
એક નિયમ એવો પણ છે કે જેમાં નવકાર ગણ્યા વિના કાંઈ પણ ખવાય પીવાય નહિ. જ્યારે પણ ખાવું પીવું હોય ત્યારે એક સ્થાને બેસી નવકાર ગણી ખાય કે પીવે ને પછી મુખશુદ્ધિ કરી નવકાર ગણીને ઊઠે. આવા માણસને ચોવીસ કલાકમાં એક-બે કલાકથી વધારે ભાગ્યે જ ખાવાપીવાની અવિરતિ હોય. બાકીના ટાઇમમાં એને વિરતિ જ છે. એ પછી જ્યાં ત્યાં ન ખાય, હોટેલમાં ન ઘૂસે કે બજારમાં મોં ચલાવતો ફર્યા ન કરે. એને ખાવાપીવા