________________
1907
– ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88
૧૧૯ શ્રી શ્રેણિક મહારાજને પણ શ્રી શાલિભદ્રના ભોગની ઇર્ષા નથી આવતી. એ પણ ત્યાં ભોગપુણ્યનું ચિંતવન કરીને વિચારે છે કે ખરેખર, આવા પુણ્યવાનો તો મારા રાજ્યની શોભા છે. રાજ્યની સમૃદ્ધિનાં પ્રતીકો છે.'
શ્રી શાલિભદ્ર વિચારે છે કે-હું પણ માનવ અને આ પણ માનવ છતાં એ રાજા અને હું પ્રજા, એ માલિક ને હું એનો આશ્રિત. ખરેખર, મારા પુણ્યમાં ખામી છે. આમ વિચારી એ રાજાની ઇર્ષા નથી કરતો પણ રાજપુણ્યને ચિંતવે છે.
બેય સમ્યગ્દષ્ટિ ભેગા થયા છે. જો બેય મિથ્યાદૃષ્ટિ ભેગા થયા હોત તો એક પેલાના રાજ્યને પડાવવા ઇચ્છતા અને બીજો પેલાના સુખને લૂંટવા ઇચ્છત.
સામાની ઉદારતાની અપેક્ષા રાખતા હો તો તમે પણ ઉદાર બનો. બીજાની સલામો ઇચ્છનાર કદાચ અન્યને સલામ કરે નહિ તો પણ એની સલામ ઝીલે તો ખરો ને ? ન ઝીલે તો પેલો સલામ કરનારો બે દિવસ સલામ કરી ત્રીજે દિવસે એને ઘમંડી માની સલામ કરવાનું માંડી વાળે. સામાની સલામ સભાવથી સ્વીકારો. સામાની ઉદારતા ઇચ્છનારે પોતે પણ બન્યું નહિ ચાલે. તમે જૈન બનો એમ હું ઇચ્છું છું. તમે જૈન બનશો એટલે ઘણી ખોટી ધાંધલ આપોઆપ શમી જશે. મંત્રીશ્વર વિમલશાહ ઃ
. મંત્રીશ્વર વિમલશાહને એમના માલિક રાજા ભીમદેવે ત્રણ-ત્રણ વાર અન્યાય કરી મરણાંત આપત્તિમાં મૂક્યા હતા.
પહેલી વાર એક મલ્લ સાથે યુદ્ધમાં ઉતાર્યા હતા. નાની ઉંમરના ઊગતા યુવાન મંત્રીને એક મોટા નામાંકિત મલ્લની સામે યુદ્ધમાં ઉતારવામાં રાજાની દાનત બૂરી હતી. પણ પૂર્વની પુણ્યાઈના યોગે બળવાન બનેલા મંત્રીશ્વરે પહેલા જ દાવમાં એ મોટા પણ મલ્લને પરાસ્ત કર્યો અને એના ઉપર વિજય મેળવ્યો.
બીજી વાર એક વિકરાળ સિંહને જંગલમાંથી જીવતો પકડી લાવવા હુકમ કર્યો. આ હુકમ પાછળ દેખીતી રીતે જ મંત્રીને ખતમ કરવાનો ઇરાદો હતો. પણ પુણ્યની બલિહારી છે. જેમ કૂતરાને કાનપટ્ટી પકડીને હાજર કરે તેમ મંત્રીશ્વર સિંહની કાનપટ્ટી પકડીને એને નગરમાં ખેંચી લાવ્યા અને રાજસભામાં હાજર કર્યો. રાજાને કહેવું પડ્યું કે ભાઈ ! એને જલદી પીંજરામાં નાખ નહિ તો કંઈકનાં મોત નોતરશે.”
રાજાને મનમાં ચિંતાનો કીડો સળવળે છે કે-આવો બળવાન આ રખે મારું