________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
નિયમની ભાવના તો હતી જ નહિ. પણ જ્યારે આ રીતે તૈયાર થયો ત્યારે આચાર્ય ભગવંતે એને લાયક નિયમ કરાવ્યો કે જો ! તારા પાડોશમાં પેલો કુંભાર રહે છે. તારે રોજ સવારે એ કુંભારના માથાની ટાલ જોયા વિના મોંમાં પાણી નાખવું નહિ.’ પેલાને તો આ નિયમની વાત સાંભળી બહુ ગમ્મત આવી. એને થયું કે આ નિયમ સારો કે રોજ સવારે કુંભારની મશ્કરી કરવાની મજા આવશે. એ નિયમ લેવા તૈયાર થયો. આચાર્ય ભગવંતે નિયમ કરાવ્યો. સાવ સામાન્ય નિયમ હતો પણ તેઓશ્રીએ આવા નિયમમાં પણ એનો લાભ જોયો. પેલો રોજ નિયમિત આ નિયમ પાળવા લાગ્યો.
૧૧૬
1304
એક દિવસે એ સવા૨માં થોડો મોડો ઊઠ્યો અને કુંભાર તો વહેલો ઊઠી જંગલમાં માટી ખોદવા ચાલ્યો ગયો. કલાક બે કલાક રાહ જોઈ પણ કુંભાર આવ્યો નહિ . એટલે થાકીને એની પત્નીને પૂછવા ગયો કે કુંભાર ક્યારે આવશે ? પત્ની કહે, ‘રોટલા લઈને ગયા છે એટલે હવે તો સાંજે આવશે.’ભૂખ લાગી હતી પણ નિયમ પૂરો કર્યા વિના ખવાય નહિ. એટલે હવે તો જંગલમાં ગયા સિવાય છૂટકો ન હતો. કુંભાર કઈ દિશામાં ગયો હતો.એ પૂછીને તે તરફ દોડતો ગયો. દૂરથી કુંભારને એક ખાડામાં માટી ખોદતો જોયો. ખોદતાં ખોદતાં ઊંચો નીચો થતાં એની ટાલ જોવાઈ ગઈ એટલે ‘જોઈ લીધી જોઈ લીધી' એમ મોટેથી બોલી પાછો ભાગવા માંડ્યો. અહીં કુંભારે તે જ વખતે જમીનમાં કોદાળીનો ઘા માર્યો તો તેમાંથી નિધાન નીકળ્યું. કુંભારને થયું નક્કી આ જોઈ ગયો માટે બૂમ મારે છે. કોઈને કહી દેશે તો માલ હાથમાંથી જશે. પેલાને બૂમ મારી પાછો બોલાવ્યો ને કહ્યું કે ‘ભાગ નહિ, અહીં આવ, આપણો અડધો અડધો ભાગ.' પેલો પણ વાણિયાનો દીકરો હતો. સમજી ગયો કે કાંઈક ભેદ છે, એટલે ત્યાં આવ્યો. કુંભારને કહે, ‘મને પોણો ભાગ આપ નહીં તો ગામમાં જાહેરાત કરી દઈશ. રાજા બધું લઈ લેશે ને તારા હાથમાં કાંઈ નહિ આવે.’ કુંભાર કબૂલ થયો. પોણો ભાગ લઈ ઘર ભેગો થયો. પછી એને વિચાર આવ્યો કે-મહાત્માએ આપેલા નહિ જેવા સામાન્ય નિયમથી પણ જો આટલો લાભ મળ્યો તો તેમનો સઘળો ધર્મોપદેશ બરાબર સાંભળી ધર્મના સાચા નિયમો કર્યા હોય તો કયો લાભ ન થાય ? આમ તેનો હૃદયપલટો થઈ ગયો. પછી તો ગુરુ ક્યારે પધારે તેની રાહ જોવા લાગ્યો અને ફરી ગુરુ મહારાજ પધાર્યા ત્યારે અનેક સારા સારા નિયમો લઈ આત્મકલ્યાણના પંથે ચડ્યો.
જૈન તરીકે ઓળખાવું છે કે જૈન બનવું છે ?
મુદ્દો એ છે કે નિયમો જીવનને પાપથી બચાવે છે. ગમે તેવો પાપી પણ પાપ