SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો – 88 ૧૧૫ ‘આપના ગળાનો હઇડીયો કેટલી વખત ઊંચોનીચો થાય છે તે ગણતો હતો.' ગુરુએ એને નાલાયક માની એની ઉપેક્ષા કરી. પેલો બહાર જઈને બોલવા લાગ્યો કે ‘કોઈના મોં સામે જોવાથી કાંઈ ધર્મ મળતો હશે ? આવા ને આવા મૂર્ખા સાધુઓ કેટલા હશે ?’ 1303 વળી કોઈ બીજા આચાર્ય પધાર્યા. શેઠ પણ પુત્રને લઈને વ્યાખ્યાનમાં ગયા. ગુરુને અગાઉનો પ્રસંગ જણાવ્યો હતો તેથી ગુરુએ આ વખતે તેને મોં નીચું રાખીને વ્યાખ્યાન સાંભળવા ભલામણ કરી. પેલો પણ મનમાં આચાર્યને મૂર્ખ માનતો નીચું જોઈને બેઠો. વ્યાખ્યાન પૂરું થયા બાદ ગુરુએ પૂછ્યું કે-વ્યાખ્યાન સાંભળ્યું ? પેલો કહે ‘ના.’ ગુરુ કહે તો તેં આટલો વખત શું કર્યું ? પેલો કહે કે આ નીચેના દરમાં કેટલી કીડીઓ ગઈ અને કેટલી બહાર આવી તેની ગણતરી કરતો હતો. આ આચાર્યે પણ એની ઉપેક્ષા કરી. મેલો બહાર જઈને બોલવા લાગ્યો કે ‘એકે મોં સામે ઊંચું જોવાનું કહ્યું અને બીજાએ નીચું જોઈને સાંભળવા કહ્યું. ઊંચું કે નીચું જોવાથી કાંઈ ધર્મ મળી જતો હશે ખરો ?' શેઠ આથી બહુ દુઃખ અનુભવવા લાગ્યા છતાં પોતાના સંતાનને ધર્મ ધમાડવાની ભાવનાથી ચલિત ન થયા. સમય જતાં વળી ત્રીજા આચાર્ય ગામમાં પધાર્યા. શેઠે જઈને આ બધી વાત તેમને જણાવી. આચાર્યે જાણ્યું કે-‘આ જીવ કાંઈ ધર્મને લાયક નથી, તેથી પહેલાં તો એને અહીં આવતો કરવો જોઈએ.’ શેઠને એને સાથે લઈને આવવા કહ્યું. શેઠ પણ એને લઈને વ્યાખ્યાનમાં આવ્યા. શાસ્ત્રને બાધ ન આવે અને પેલાને રસ. પડે એવી વાતો આચાર્ય ભગવંત વ્યાખ્યાનમાં લાવવા લાગ્યા. પેલાને રસ પડવા લાગ્યો. એટલે હવે તો એ શેઠથી પણ વહેલો વહેલો વ્યાખ્યાનમાં આવવા લાગ્યો. એમ કરતાં કરતાં આચાર્ય ભગવંત ઉપર સ્નેહભાવ જાગ્યો. પછી આચાર્ય ભગવંતે જ્યારે ત્યાંથી વિહાર કર્યો ત્યારે ગામના બધા માણસો વળાવવા ગયા, તેમાં આ પણ સાથે ગયો. આચાર્ય ભગવંતે માંગલિક સંભળાવી બધાને છેલ્લી હિતશિક્ષા સંભળાવી ત્યારે ઘણા લોકોએ તેઓશ્રી પાસે જાતજાતના નિયમો લીધા. આચાર્ય ભગવંતે બધાને નિયમો આપ્યા. પછી આ શ્રેષ્ઠીપુત્રને પૂછ્યું કે ‘આ બધાએ નિયમો લીધા તો તારે કાંઈ નિયમ લેવો છે ?' આણે હસીને કહ્યું કે ‘સાહેબ ! મારે તો ઘણા નિયમ છે, જેવા કે, ઊભા ઊભા કદી સૂવું નહિ, આખેઆખું નાળિયેર કદી ખાવું નહિ વગેરે વગેરે.’ ગુરુ કહે ‘આ તો તું અમારી પણ મશ્કરી કરે છે જે સારું ન કહેવાય. બધાએ નિયમો કર્યા તો તારે પણ કોઈ એકાદ નિયમ તો કરવો જોઈએ. જે તારાથી બને તે કર.’ આચાર્ય ભગવંત ઉપરના સ્નેહભાવને લીધે શરમનો માર્યો નિયમ લેવા તૈયાર થયો.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy