SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ઓછો હોય તે બને પણ તમે તો જ્યાં જન્મ્યા છો, જ્યાં બેઠાં છો તેની ચોમેર ધર્મનું એવું વાતાવરણ છે કે અશક્તિથી તમે ધર્મ ન કરી શકો તો પણ હૃદય તો જરૂર ડંખે. 1302 મુનિ ગુરુકુલવાસમાં સાધુ સમુદાયમાં જ રહે; અને એ સંસર્ગના પ્રભાવે પતિત પરિણામી થવા છતાં વર્ષો પર્યંત ત્યાં ટકી રહે. ભલે ભાંવના બગડી પણ વેષ, આચાર, વિચાર, આજુબાજુના સંયોગો, ઉચ્ચારણો એ બધું એને ચેતવ્યા કરે. ગૃહસ્થ ગમે તેવો હોય પણ પરિણામ બગડ્યા કે બહાર નીકળે,ત્યાં એને રોકે કોણ ? તેમાં બે હોય તો તો વળી એકના ઊંઘવાની રાહ જોવી પડે પણ એકલો હોય તો તો બારે ભાગોળ મોકળી. એક માણસનો સહવાસ પણ જો આટલો અંકુશ રાખે તો પછી જો સાચી વસ્તુ હાથમાં આવે તો પછી પૂછવું જ શું ? નાના પણ નિયમનો પ્રભાવ ઃ એક દૃષ્ટાંત : તમને ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ તેમાંય શ્રાવકનું કુળ, ઉત્તમ સામગ્રી અને ઉત્તમ સંસર્ગ મળ્યાં તે માટે તમે પુણ્યવાન ખરા પણ એ સામગ્રી મળ્યા પછી એને સફળ ન કરો તો કેવા ? સફળ ન કરો ત્યાં સુધી તો ઠીક પણ અવગણના કરો તો ? અવગણના કરનાર પાપી ખરા ને ? અનિચ્છાએ કેવળ મોટાના કહેવાથી નહિ જેવા નિયમના સ્વીકારથી પણ મોટામાં મોટો લાભ થઈ જાય છે. ઉપદેશ રત્નાકરમાં એક દૃષ્ટાંત છે એક શેઠને એક દીકરો હતો. શેઠ પરમ ધર્માત્મા હતા. દીકરો દુર્ભાગ્યે ૫૨મ ધર્મનિંદક નીકળ્યો. પોતાનું સંતાન ધર્મ પામે એવી શેઠને તીવ્ર ભાવના હતી એથી એ શેઠ પોતાના દીકરાને જે કોઈ ધર્મગુરુ ગામમાં આવે તેમની પાસે લઈ જતા. પેલો પરાણે પરાણે જાય પણ તોયે બહાર આવીને ગુરુની અને ધર્મની ઊલટી નિંદા જ કરે. એથી શેઠને પણ થયું કે આવાને તો ન જ લઈ જવો એ બહેતર છે. પછી શેઠે એની ઉપેક્ષા કરવા માંડી. એમ છતાં કોઈ પણ ભોગે પોતાના પુત્રને ધર્મ પમાડવાની એમની ભાવના રહેતી. એવામાં એક મહાત્મા પધાર્યા અને શેઠ પુત્રને એમનું વ્યાખ્યાન સાંભળવા લઈ ગયા. પેલા મહાત્માએ એને વ્યાખ્યાન બરાબર પોતાના મોં સામે જોઈને સાંભળવા કહ્યું. પેલાએ હા કહી અને બરાબર એ રીતે એ મહાત્માના મોં સામે જોઈને બેઠો. દોઢ કલાક વ્યાખ્યાન ચાલ્યું. પછી ગુરુએ એને પૂછ્યું કે ‘કેમ, આજે તો તેં બરાબર વ્યાખ્યાન સાંભળ્યું ને ?' ત્યારે તેણે ચોખ્ખી ના પાડી. ત્યારે ગુરુએ પૂછ્યું કે ‘તેં મારી સામું જોઈને એટલો વખત કર્યું શું ?’ તેણે કહ્યું કે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy