________________
101
- ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88
૧૧૩
જેમ સીડી એ દોરડું તેમ જીવનમાં નિયમઃ
શાસ્ત્ર કહે છે કે તીવ્ર કર્મોદય વગેરે કારણે નિયમ ભાંગવાનો ભય છતાં લેવાનું બંધ કરાય નહિ. નિયમ પાળવાની ભાવનાથી, નિયમને મજબૂત રીતે સાચવવાની કાળજી રાખવાની ભાવનાથી નિયમ લેવામાં જરા પણ વાંધો નથી. ભાંગવા માટે નિયમ લેવાતા નથી. દેવાળું કાઢવા પેઢી ખોલાતી નથી. પેઢી ખોલનાર ઘણાય દેવાનાં કાઢે છે માટે પેઢી ખોલવી બંધ પણ કરાતી નથી. હા ! સાવચેતી ખૂબ રખાય. આવશે તો દેશું, નહિ તો હાથ ઊંચા કરતાં શી વાર ? આવી મેલી વૃત્તિથી પેઢી ખોલનારા તો બજારને માટે શ્રાપરૂપ છે. જેને નિયમની દરકાર નથી અને જે ભાંગવા માટે જ નિયમ લે છે; તેવાએ નિયમ ન લેવા. બાકી ભાંગવાના ભયથી નિયમ લેવાનું બંધ ન કરાય. એ વાત સમજાવવાનો આપણો મુદ્દો છે. સામાન્ય ભયથી નિયમ ન લેવો એ ઠીક નથી, એ કહેવાનું તાત્પર્ય છે. નિયમ લેવાની તૈયારી તે વખતનાં પરિણામ, લેતી વખતના પરિણામની શુદ્ધિ, લીધા પછી એનું પાલન અને એ પાલનમાં પરિણામની શુદ્ધિ, એ બધો સમય કોઈકને જીવનમાં ક્વચિત જ આવે અને એ પણ કોઈ વીર નરથી જ બની શકે. એવો ઉલ્લાસ આવે. પરિણામની એવી શુદ્ધિ થાય કે આત્મા પર લાગેલા કર્મમલ ખસે અને જીવનથી ગબડતા આત્માને બચાવવા એ નિયમ જ સમર્થ બને. એટલે તો પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે-નિયમ એ પડતાને માટે આલંબન છે. જેમ સીડી માટે દોરડું આલંબન છે તેમ જીવન માટે નિયમ આલંબન છે. નિયમરૂપી દોરડું ચડતાને ટેકારૂપ બને, ગબડવા ન દે અને અયોગ્ય સ્થાનેથી યોગ્ય સ્થાને પહોંચાડે. આત્માને પાપમાર્ગે જતાં નિયમ રોકે છે. તો-તો જગત સ્વર્ગ બની જાય
સત્યવાદીની ખ્યાતિને પામેલો કદી એક વાર જૂઠું પણ બોલી જાય તો પણ એ સત્યમાં ખપે છે. જો સત્યની ખ્યાતિ આટલું કામ કરે તો સત્યનું પાલન શું ન કરે ? શાહુકારીની નામનાથી પણ લાખો મળે છે, તો નામના મુજબ વર્તાવ થાય પછી બાકી શું રહે ? સંયમીને જોતાં જ લોકો હાથ જોડે છે તો સંયમીપણે વર્તવાથી શું બાકી રહે ? જગત સંયમનું પૂજારી છે. સત્ય, અહિંસા અને સંયમને આ જગત પૂજે છે એમ વર્તમાન યુગ પણ સાક્ષી પૂરે છે. પણ જે વસ્તુનું જગત પૂજારી છે એ વસ્તુની બીજામાં અપેક્ષા રાખે છે તે વસ્તુ પોતાનામાં પ્રગટાવવાનો પ્રયત્ન કરે તો જગત સ્વર્ગ બની જાય.
જગતનો મોટો ભાગ કાંઈ ધર્મનો વિરોધી નથી. અનાર્યદેશમાં હજી ધર્મપ્રેમ