SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1300 આવીને કહી દે કે “જા, નથી આપવા, થાય તે કરી લે,” તો પેઢી ઊઠી જ સમજો. ભવિષ્યમાં કોઈ એક પાઈ પણ ધીરે નહિ. આવેશમાં થયેલા સત્કાર્યથી, પછી પણ આત્માને એક પ્રકારનો આનંદ આવે છે. એ વિચારે છે કે ભલે ગાંડપણમાં આવીને પણ મેં કામ તો સારું કર્યું છે. આવેશમાં ખોટું કામ થઈ જાય તો સત્યાનાશ વળી જાય અને પાછળથી પસ્તાવાનો પાર પણ ન રહે. મોહના ઉદયથી, તીવ્ર કર્મોના ઉદયથી આત્મા બેભાન બને છે. આ રીતે કે કોઈ અજાણપણે થતા નિયમભંગનો બચાવ છે; પણ પળાય તો ઠીક, નહિ તો કાંઈ વાંધો નહિ, એમ વિચારી નિયમ લેવો તે તો ખુલ્લી ઉઠાવગીરી છે. એ રીતે ઇરાદાપૂર્વક નિયમ ભાંગનારાએ તો બહેતર છે કે નિયમ લેવા જ નહિ. રાજીમતીને જોઈ રહનેમિ ભાન ભૂલ્યા, રૂપરંગ જોઈ પતિત પરિણામવાળા થયા, ગાંડીઘેલી વાતો કરવા લાગ્યા પણ રાજીમતીએ સમજાવ્યાં કે તરત ઠેકાણે આવી ગયા. આનું નામ મોહના ઉદયથી પડેલા કહેવાય. ઇરાદાપૂર્વક પડેલા હોત તો તો રાજીમતીને તરત કહી દેત કે-ડહાપણ જવા દે, મારે તારો ઉપદેશ નથી સાંભળવો, શાસ્ત્ર તો હું પણ ભણ્યો છું.” આવાં આવાં કંઈક વચનો સંભળાવત. પરંતુ એ મોહના ધક્કથી પડી ગયા હતા. મોહના ઉદયથી પડેલાને કે પડતાને બચાવવા સહેલા છે. જાણીબૂઝીને પડનારને બચાવવાની કોઈની તાકાત નથી. કેમ કે એ તો કહી દે કે “મારે તો આમ કરવાનું જ છે. ખોટાખરાની પંચાતમાં પડવું છે જ કોને ?' ' નિહુનવો અને દરેક ઉત્સુત્રભાષીઓનું અપલક્ષણ જ એ કે, એ કહી દે કેઆગમો હું જાણું છું, પણ મારે તો આ રસ્તો લેવો જ છે, હું બોલ્યો છું તે હવે કોઈ કાળે નહિ ફરે.” આ સ્થિતિ હોય ત્યાં આપણો કાંઈ ઉપાય નથી. ભૂલેલો સમજે તો ઠેકાણે આવે, મોહોદયથી પડેલા સુધરે પણ ઈરાદાપૂર્વક પડનારને અહીં સ્થાન નથી. પહેલાં નિનવ થનારા શરૂમાં મિથ્યાત્વના ઉદયે સર્વસ્તુમાં મૂંઝાય અને વિપરીત શ્રદ્ધા થાય તેથી ઊંધી પ્રરૂપણા કરે. તે વખતે આચાર્યો તથા ગીતાર્થો એમને યુક્તિપૂર્વક સમજાવતા. જો સમજે તો એવાને શાસનમાં નભાવી લેતા પણ સમજાવવા છતાં ન માને તો શાસ્ત્ર એમને ઇરાદાપૂર્વક આડા માર્ગે જનારા કહ્યા છે અને પછી એમને સંઘ બહાર કર્યા છે. આ રીતે ઇરાદાપૂર્વકની હઠ કરનારા, કદાગ્રહી બનનારા કે નિયમ ભાંગનારા, બીજા વિભાગમાં આવતા નથી. ભૂલથી ભાગે, અગર ભાગે ત્યાં “ભૂલ્યો” એમ સ્વીકારે, એવા વર્ગની વાત કરીએ છીએ.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy