SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 1298 T ૧૧૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ફાવે તેમ વર્તવા દે એવી કોઈ પ્રવૃત્તિ કે કોઈ પણ તંત્ર નથી. શ્રી જિનેશ્વરદેવના સંઘને સુવ્યવસ્થિત રાખવા નિયમો અતિ આવશ્યક છે. હવે સમાજનો એક વિભાગ એવો છે કે જે નિયમોને બંધન માને છે, પગની બેડી જેવા માને છે. નકામા, ભારભૂત અને જિંદગીને બરબાદ કરનારા માને છે. એ વર્ગને તો આ શાસનમાં સ્થાન જ નથી માટે તેને દૂર રાખો. એક વિભાગ એવો છે કે જે ભાંગવાની બીકે નિયમ ન લેવા એ જ ઠીક છે એમ માને છે. ત્રીજો વિભાગ એવો છે કે જે નિયમ લેવા છતાં એમાં બારીબારણાં ઘણાં ઉઘાડાં રાખે છે. પહેલો વિભાગ તો અહીં આવવા માગે તો પણ એનો ખપ નથી, કેમકે જેને નિયમો ઝેર જેવા, નકામા અને બીનજરૂરી લાગે તેને સંઘમાં સ્થાન જ નથી. બાકીના બે વર્ગ માટે હજી સ્થાન છે. - નિયમ ભાંગી જાય માટે મ લેવો સારો, એવું માનનારો વર્ગ વર્તમાનમાં ઘણો મોટો છે. પૂર્વે પણ આવો પ્રશ્ન ઊઠ્યો છે અને એનાં સમાધાન થયેલ છે. નિયમ ભાંગી જાય અને ભાંગે એ બે વાતમાં ભેદ છે. નિયમ લીધા પછી ભાંગે જ નહિ એટલે કે ચડ્યો તે સીધો ચડ્યે જ જાય, કદી પડે જ નહિ, એવા આત્મા બહુ વિરલ હોય છે. શ્રી તીર્થંકરદેવના આત્મા માટે પણ પહેલાં તો ચડવાનું અને પડવાનું ચાલુ જ હતું પણ શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા પછી ચડ્યા તે ચડતા જ ગયા અને શ્રી તીર્થંકરપદવી પ્રાપ્ત કરીને જ રહ્યા. એવા આત્મા વિરલ. વ્યવહારમાં પણ મોટો થાય, હોશિયાર થાય, સેંકડોવાર નિસરણી ચડ્યો ઊતર્યો હોય એને પડવાનો સંભવ નહિ અથવા ક્વચિત જ પડે, પણ શરૂ શરૂમાં ચડનાર ઊતરનાર બાળકને પડવાનો સંભવ છે જ, છતાં કાળજી રાખી એને ચડવા દેવાય છે પણ પડવાની બીકે ચડવા જ ન દે તો એ ચડતાં શીખે જ નહિ. એ જ રીતે ભાંગવાની બીકે નિયમ લેવાનો રિવાજ બંધ ન કરાય. શ્રી તીર્થંકરદેવના આત્માઓ કે અન્ય મહાપુરુષોના આત્માઓ પણ અભ્યાસ કરતાં કરતાં ચડ્યા. પડ્યા અને પાછા ચડ્યા. એ રીતે ચડતાં ચડતાં તે ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હતા. પડ્યા પછી ત્યાં પ્રાયશ્ચિત્ત કરે, ન કરે તો દુર્ગતિ, એ બધું કહ્યું છે પણ એથી ચડતાં ગભરાવાનું નહિ. પડે તો હાથ પંગ પણ ભાંગે, બે મહિનાનો ખાટલો પણ આવે, એ બધો સંભવ છતાં ચડ્યા વિના ચાલે છે ? નહિ જ. લોકો ચડવાની ક્રિયા બંધ કરતા જ નથી. ચાલતાં શીખતી વખતે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy