________________
૧૦૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ -
1294 ટેવ પાડી દીધી એટલે આ નિયમો જરા ભારે લાગશે. કહે છે કે “આ ઓઘો લઈએ તો બધું પળાય પણ ઓઘો લેવો ન હોય તો આ બધું પાળવું બહુ ભારે છે.” એટલે એમને ઓઘો કરતાંયે આ નિયમોનો ભાર વધારે લાગે છે. હું કહું છે કે ભારે તો લાગશે પણ એ ચાર-આઠ દિવસ કે પંદર દિવસ, પણ પછી અભ્યાસ પડી જશે અને સહેલાઈથી પાળી શકાશે.
આ નિયમોથી રોગો હશે તો જશે, ખર્ચ પરિમિત થશે, લાલસાઓ અંકુશમાં આવશે. લાલસાઓ ઓછી થતાં થોડા પગારમાં પણ સાહ્યબીથી જિવાશે. જિનપૂજા કર્યા વિના નહિ આવું એમ શેઠને હિંમતથી કહી શકાશે; કેમકે એને હવે સોના સવાસો કરાવવાની પરવા નથી.. ઓછા પગારની ફરિયાદ કરનારા, ખર્ચા પૂરા થતા નથી એવી બૂમો મારનારા પણ એવા કોઈ નોકરો નથી જોયા કે જે નાટક સિનેમા ન જોતા હોય ત્યાં તો કહે છે કે જેમ રોટલા જોઈએ તેમ આ પણ જોઈએ. એમ પણ કહેનારા છે. કે રોટલા વિના ચાલે પણ ચાહ વિના નથી ચાલતું. એમ બોલે છતાં ચહા પણ પીવે અને રોટલા પણ ખાય. દાળભાત રોટલી વિના ન ચાંલે એ માન્યું પણ પછી બીજો વળગાડ શા માટે ? ચાહ વિના ન ચાલે તો ઘરમાં બેસી એકાદ વાર કામ પતાવો પણ પછી ત્રણ-ત્રણ વાર એની લપ હોય ? એ પ્રાઇમસની ઝાળ લાગવાથી ઘણી બાઈઓ સળગી મરી. માટીના ચૂલામાં એ જોખમ નહોતું. આ તો દીવાસળી ચાંપી કે તરત ભડકો. સગવડ વધી તેમ જોખમ વધ્યાં. બાઈ જરા ભૂલ કરે કે કપડાં સળગે, સ્થિતિ એવી ભયંકર કે બચાવનારો જુએ પણ કાંઈ કરી શકે નહિ. બચાવવા જતાં જતાં પણ બાઈ અડધી સળગી જાય. આવું બને ત્યારે જૂનાં સાધનો સારાં લાગે. પણ થોડા વખત પછી પાછું બધું ભુલાઈ જાય.
આ નિયમોથી જૈન ધર્મની દૃષ્ટિએ તો બહુ લાભ છે પણ દુન્યવી લાભ પણ ઘણો છે. ફાલતુ ખર્ચા બચી જશે. અનાચાર, પ્રપંચ, લુચ્ચાઈ વગેરે શીખવનાર, અરે ! કહોને કે સાતે વ્યસન શીખવનાર નાટક સિનેમા છે. એનો ત્યાગ કરો એટલે આપોઆપ તમને ધર્મની, તપ-જપની, નિયમોની કિંમત સમજાય એવું સુંદર જીવન બની જાય. આ નિયમોની નોંધ બનાવો. સામાન્ય જૈનજીવન પૂરતા આ નિયમો છે. સુશ્રાવક બનવા માટેના નિયમોની તો બહુ વાર છે. અન્ન એવો ઓડકાર : .
રાજસી, તામસી અને અભક્ષ્ય ખાનપાનના ત્યાગ વિના પરિણામની ધારા સુધરે જ નહિ. લોકમાં પણ કહેવત છે કે જેવો આહાર તેવો ઓડકાર. ઘણા