SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એકરાર કર્યો. સંયમ લઈ દેશના દેતાં પ્રસંગે પોતાના પાપને સભા સમક્ષ ખુલ્લું કરતા હતા. પરિણામે કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા અને કૈંક આત્માઓને મુક્તિમાર્ગે ચડાવ્યા. પાપ કરતો હોય તે જ પ્રતિજ્ઞા લે એમ ન માનતા. પાપ ન કરતો હોય તે પણ હવે પછી કદી ન કરવાનો નિયમ જરૂર લે. પાપ ન કરતો હોય તે પણ હવે પછી કદી ન કરવાનો નિયમ જરૂર લે. પાપને રોકવા અને ભવિષ્યમાં ફરી ન કરવા માટે નિયમ લે અને થઈ ગયેલા પાપનો પસ્તાવો કરે. પાપ નહિ કરનારને પસ્તાવાનું કારણ નથી પરંતુ ભવિષ્યમાં પાપ ન થાય તે માટે નિયમ કરે. સાત વ્યસનનો ત્યાગ કરવો એટલે સેવાયાં હોય તો તેનો પશ્ચાત્તાપ કરવો; વર્તમાનમાં તેના સેવનનો ત્યાગ અને ભવિષ્યમાં તેનું સેવન ન કરવાનો નિયમ. ન સેવાયાં હોય તેને વર્તમાનમાં સેવનનો ત્યાગ અને ભવિષ્યમાં કદી નહિ સેવવાનો નિયમ. ૧૦૪ 1292 આ સાત વ્યસનના ત્યાગના નિયમમાં જૈનકુળની આબાદી છે. જૈનકુળને કલંક લગાડનારાં આ સાતે વ્યસનોના ત્યાગમાં જ આત્માનું કલ્યાણ અને જૈન સમાજનો ઉદય છે. દુનિયાની દૃષ્ટિએ પણ આ સાત વ્યસનોના ત્યાગવાળું જીવન ઉત્તમ છે. એના નિયમથી બીજાં મોટાંમોટાં પાપો આપોઆપ જીવનમાંથી નીકળી જાય છે. શ્રાવકને પૂજાનો પણ નિયમ હોય. બહારગામ જાય ત્યારે પણ સામાન્ય રીતે પૂજાની સામગ્રી, સામાયિક-પ્રતિક્ર્મણની સામગ્રી સાથે જ રાખનારા ભાગ્યવાનો છે. રસ્તામાં એક ટ્રેન જતી કરીને પણ એ પોતાની આવશ્યક ક્રિયાનો સમય સાચવે. આગળ શ્રાવકો વહાણવટે પણ જતા અને સાર્થવાહો સાથે સાર્થમાં પણ જતા. એ પોતે સ્વતંત્ર હોઈ ફાવે ત્યાં જહાજને રોકતા કે સાર્થનો પહાડ કરતા. બધા જ આવશ્યક કરતા એવું નહિ પરંતુ કરનારાની સગવડ સાવચતા. ચાલુ જહાજમાં કે ટ્રેનમાં આવશ્યક ક્રિયા થાય નહિ એ વિધિ. ત્યાં અપવાદ એટલો કે સામાયિક ઉચ્ચર્યા વિના આવશ્યક ક્રિયાનાં સૂત્રોની મનમાં ધારણ કરે. પણ એ અપવાદ ક્વચિત્. સભા વિલાયત જવું પડે તો ?’ પહેલી વાત તો એ કે એવા દેશમાં જૈનો જાય જ શા માટે ? સંયોગવશ કદાચ જવું પડે તો પોતાના નિયમોને જાળવવાના નિર્ણય સાથે જાય. બહાર જઈએ એટલે નિયમોમાં બધી છૂટ એ માન્યતા મનની નબળાઈ સૂચવે છે. શ્રી કુમારપાળ મહારાજાના સમયમાં કુંબેરદત્ત નામનો શ્રેષ્ઠિ મોટા સાર્થ સાથે જહાજમાં સાગરમાર્ગે દેશાટન કરવા ગયાની વાત આવે છે. શરીરની
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy