SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 1291 – ૭: જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય: - 87 – ૧૦૩ કરતાં પણ ભયંકર આરોપ મૂકો છો-અહિંસાના પયગમ્બર મનાતાની, સત્યમાં હરીશ્ચંદ્રની ઉપમા પામેલાની અને ત્યાગમાં જૈન સાધુને પણ ટક્કર મારે એવી ખ્યાતિ ધરાવનારાની આ વાત છે. એના માટે “અહિંસાનું સ્વરૂપ નથી સમજતા” એવો આરોપ ભયંકર છે. આજ સુધી કોઈ અહિંસાવાદીએ આવું જીવન નથી જીવી બતાવ્યું એવી નામના મેળવનાર, સત્યની બાબતમાં હરિશ્ચંદ્રમાં કદાચ ત્રુટિ હશે પણ આનામાં નથી એવી પ્રસિદ્ધિ મેળવનાર અને સંયમ તો જેની રગેરગમાં વ્યાપેલું છે એવી જેને માટે માન્યતા છે, તેના ઘડેલા કાયદાની આ વાત છે. આ બધું શાંતિથી વિચારો અને સમજો કે આમાં કેટલી પોલ છે ? ચાર-ચાર વાર ખાવા જોઈએ એ સંયમી જીવન છે ? શ્રી જિનેશ્વરદેવના અહિંસા, સત્ય અને સંયમ જુદાં છે. અહિંસા, સત્ય અને સંયમના અંશને પહોંચવા માટે પણ આજના પામરોનું ગજું નથી. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરો અને ફરી ન કરવાનો નિયમ કરો. આજના માણસોને આગળ-પાછળ જોવાની કે વિચારવાની ફુરસદ નથી. બહારના વાતાવરણની છાયા જીવન ઉપર પડે છે. નામના ધરાવનારાઓની આવી પ્રવૃત્તિથી અનેક આત્માઓ માની લે કે જો રાત્રે ખાવામાં હિંસાનો દોષ લાગતો હોય તો આવા અહિંસાવાદી એને દોષ કેમ ન ગણે ? આ બાબતમાં હાલ તો ફક્ત હું આટલું દિશાસૂચન જ કરું છું. આથી આગળ વધવા નથી માંગતો. જેમ જેમ સંયોગો ઊભા થશે, કાર્યવાહી આગળ વધશે તેમ તેમ પ્રસંગે પ્રસંગે કહેવા યોગ્ય જરૂર કરીશ. નાહકના અજ્ઞાનમાં અંધ બનીને કોઈ ખોટી પ્રશંસા કે અનુમોદના ન કરી બેસતા. સુયોગ્ય પ્રવૃત્તિમાં હરકત નથી. દુનિયાના જીવો છે એટલે કાર્યવાહી કેટલી કરવી પડે પણ તે વિવેક કે મર્યાદા છોડીને નહિ. અંકુશ વિનાની ઘેલી પ્રવૃત્તિ ચલાવી ન લેવાય. સાધુપણાની, શ્રાવકપણાની તથા સમ્યગ્દષ્ટિપણાની વાત તો દૂર છે પણ સામાન્ય જૈન બનવાની વાત કરી રહ્યો છું. સાત વ્યસનના ત્યાગ વિનાનો કોઈ જૈન ન જ હોય. પાપ કરીને છુપાવો નહિ. પાપના વિષને વધારો નહિ. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરો અને ફરી ન કરવાની પ્રતિજ્ઞા કરો. આ શાસનમાં તો અવસરે પોતાના કરેલા પાપનો જાહેરમાં એકરાર કરવાનો કાયદો છે. વેદવિચક્ષણે અજ્ઞાનતાથી પોતાની જનેતા સાથે ભોગ કર્યો હતો. જાણ્યા પછી પોતાના એ પાપનો જાહેરમાં ૧. તે વખતે પૂરજોશમાં હુંકાઈ રહેલા ગાંધીવાદના પવન સામેની આ ચેતવણી હોય તેમ જણાય છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy