SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1290 જૈનશાસનના અહિંસા-સંયમ-તપની આંશિક પ્રાપ્તિ પણ દુર્લભઃ અજ્ઞાનીના ઘડેલા કાયદામાં દોષ આવ્યા વિના રહે જ નહિ. આ વાત કોઈની ટીકા કરવા માટે નહિ પણ વસ્તુ સમજાવી દિશાસૂચન કરવા માગું છું. જૈન સાધુ અને શ્રાવક એ તમામ માટે પહેલાં તો એ જ કાયદો કે એકથી અધિક વાર ભોજન ન કરવું. ન ચાલે તો પછી બે વાર અને એમ કરતાં છેવટે જરૂર પડે એટલી વાર ખાવાની છૂટ આપી પરંતુ તે સૂર્યોદય પછીની બે ઘડી પછી અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી પહેલાંના સમયમાં જ; તે સિવાયના આગળ પાછળના સમયમાં નહિ, એ નિયમ-સૂર્યાસ્ત પહેલાની છેલ્લી બે ઘડીમાં ખાવું એ અપવાદ છે, રાજમાર્ગ નથી. સૂરજ ડૂખ્યા પછી તો વ્યાપાર પણ બંધ હોય. આજે હૉટેલ અને પાન બીડીના વેપાર મોડી રાત સુધી ચાલુ રહે છે. કેમકે લોકો ભટકતા થયા છે. બાકી ઘણાખરા વેપાર સૂર્યાસ્ત પછી બંધ: સટ્ટો રાતના પણ ચાલે છે પણ એમાં કાંઈ માલ લેવા દેવાનો હોતો નથી એટલે એમાં ઠગાવાની ધાસ્તી નથી માટે એ ચાલે છે. જેમાં ઠગાવાની ધાસ્તી છે તેવા કાપડ, ઝવેરાત વગેરેના વેપાર બંધ થાય છે. ઑફિસો અને કોર્ટ-કચેરીઓ સવારે અગિયારથી સાંજે છ સુધી ખુલ્લાં, પછી બંધ. અહિંસા, સંયમ અને સત્યના ધ્યેયવાળાથી રાત્રે તો ખવાય જ નહિ. સૂર્યના પ્રકાશમાં જે સૂક્ષ્મ જંતુઓ દેખાય તે ગમે તેવી લાઈટથી પણ રાત્રે ન જ દેખાય. સાધુ, શ્રાવક અને સમકિતી માટે છેલ્લામાં છેલ્લો એ કાયદો કે સૂર્યોદય પછીની બે ઘડી પહેલાં અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી પછી-એ બધા કાળમાં ખવાય જ નહિ. બે ઘડીના કાળમાં કોઈ ખાય તો એ અપવાદ; એ રૂઢ વ્યવહાર નહિ. આની સામે અહિંસા, સંયમ અને સત્યના ધ્યેયની વાતો કરનારા અજ્ઞાનીઓએ કરેલા કાયદા એ છે કે-“સવારે સાડા છ વાગે કામે લાગવું હોય માટે પાંચ વાગે ખાવું, પછી દશ વાગે બીજી વાર ખાવું. સૂર્યાસ્ત પહેલાં ત્રીજી વાર ખાવું અને પછી રાત્રે નિરાંતે ચોથી વાર ખાવું. હવે આ કાયદામાં સંયમ ક્યાં રહ્યો ! આ સંયમી જીવન કહેવાય ? આવાને સંયમનો ખ્યાલ છે એમ મનાય ? જૈન સાધુના સંયમની વાત તો દૂર રહી પણ આમાં તો ભ્રષમુનિઓનું સંયમ પણ ક્યાં રહ્યું ? સંન્યાસીઓના જીવનનું સંયમ પણ આવું ન હોય. અરે, વૈષ્ણવો પણ ઘણા સાંજે પાંચ વાગે ખાઈ લે છે. સભા: “અહિંસાનું સ્વરૂપ સમજાયું ન હોય તો આવું ન બને ?” આ વાત સંયમી જીવનની ચાલે છે. વળી તમે તો આવી વાત કરીને મારા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy