________________
૧૦૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
– 1238 અને અમુક તો ન જ ખવાય પીવાય એ બધું નિયત છે. જૈન બનનારે આ બધા નિયમો કરવા પડે. જૈનજીવન જીવનારની જવાબદારી:
સુસ્તી ઉડાડવા અને સ્કૂર્તિ લાવવા ચાહ, બીડી, સિગારેટ વગેરે જૈનને ન હોય. એ તો ઊભા ઊભા આવશ્યક ક્યિા કરે એટલે એના શરીરમાં સ્કૂર્તિ આવી જ જાય. સૂર્યોદય પહેલાં તો એ પૂરેપૂરો સ્વસ્થ ગઈ ગયો હોય. આજની હાલત તો વિચિત્ર છે. આંખો ચોળતો ઊઠે અને પથારી નીચે રાખી મૂકેલ બીડી બાકસ હાથમાં લઈ મીંચેલી આંખે જ બીડી સળગાવે. એ બીડી ફૂંકે ત્યારે તો આંખ ઊઘડે અને એ ઊઘડે કે તરત ચા જોઈએ. શાસ્ત્ર કહે છે કે શ્રાવકે ચાર ઘડી રાત બાકી રહે ત્યારે ઊઠવું જ જોઈએ. ચાર ઘડી એટલે બે સામાયિકનો કાળ થયો. શ્રાવક કદી ઘોરે નહિ. ઊઠતાંવેંત નવકારમંત્રનું સ્મરણ કરી અશુદ્ધ હોય તો શુદ્ધ બની આવશ્યક ક્રિયા કરે. તેમાં પોતાના એક એક પમ્પની જડતી લે. રાત્રીમાં થયેલ ખરાબ ભાવનાઓ, આવેલ દુ:સ્વપ્નો, સેવેલા વિષ્પી, વિષયાંધ બની આચરેલાં દુષ્કૃત્યો એ બધાને તપાસી ઝાપટી નાખે. ઇરિયાવહી કરતાં અઢારે પાપસ્થાનકો ખૂબ વિચાર કરી, આલોચી, આત્માને શુદ્ધ બનાવે. હૈયું એવું પહોળું કરે કે પાપનો ચિતાર ખડો થાય ને આંખમાં પાણી આવી જાય. આવશ્યક અને સામાયિકમાં સ્વાધ્યાય આદિ કરી ઘરમંદિરમાં જઈ અગ્રપૂજા કરે, પચ્ચકખાણ કરે અને પછી ત્યાંથી સંઘના જિનમંદિરે જઈ ત્યાં પણ અગ્રપૂજા ચૈત્યવંદનાદિ કરી ગુરુ સમીપે જઈ ગુરુવંદન કરી ગુરુમહારાજના સંયમાદિના ખબર પૂછે. સંઘના મંદિરે તેમજ ગુરુ પાસે ફરી પચ્ચખ્ખાણ કરે. ત્યારબાદ પેટમાં નાંખવાની જરૂર હોય તો ઘરે જઈ તે કામ પતાવીને પાછો જિનવાણી સાંભળવા આવે. આ બધો વિધિ છે. ઠીક છે કે મુંબઈ જેવું શહેર હોય, વસવાટ બહુ દૂર હોય ને આ બધી વિધિ બની શકે તેમ ન હોય તો એ વાત જુદી છે પણ વિધિ આ. જૈન જીવન જીવનાર ગમે ત્યારે ઊઠે, ગમે તેવું અને ગમે ત્યારે ખાય પીવે અને ગમે તેમ વર્તે એ ચાલે જ નહિ. માટે નિયમોની જરૂર છે. નિયમ કરો અને સહવર્તીઓને કરાવો. આ પ્રવૃત્તિથી શ્રી સંઘના સ્વરૂપનું જે વર્ણન ચાલે છે તે સ્વરૂપ બરાબર જળવાય.
જૈન જીવન તુચ્છ ન જ હોય. જૈન જીવન જીવી ન શકે તેણે જૈન હોવાની નામનાનો મોહ મૂકી દેવો ઘટે. ઉદારતાના અંશ વિના પોતાને શ્રીમાન તરીકે ઓળખાવનાર તરફ તો દુનિયા આંગળી ચીંધ-આજના જૈન ગણાતાઓને ખાવાનો, પીવાનો, સૂવાનો, ઊઠવાનો કે હરવા-ફરવાનો કશો નિયમ નથી. તો કૂટ (શિખરવગર પહાડ શોભે શી રીતે ?