SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 1287 – ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય - 87 – ૯૯ માત્ર ખોટા સરવાળા કરવામાં રાચ્યા કરો અને સાચી રીતે વધ્યા-ઘટ્યાનો વિચારે ન કરો તો હું કહું છું કે તમે જીવન જીવતા નથી પણ જીવન બગાડો છો. એ બગડતા જીવનને સુધારવા આ પ્રયત્ન છે. જીવનને જીવંત બનાવો. આંખથી અમી ઝરે, હૃદયમાં સદ્ભાવનાઓ હુરે અને ખાનપાનાદિની રીતભાત જોઈ કોઈ ઊંચા પ્રકારના જીવનનાં દર્શન થાય અને બીજાને પણ એવું જીવન જીવવાના ભાવ પેદા થાય તેવું જીવન જીવો ! એટલા માટે જ નિયમો તરફ તમને ખેંચી રહ્યો છું. દુન્યવી સાધનો પણ અંકુશવાળાં હોય તો સુખ આપે છે. નિરંકુશ ગમે ત્યારે આપત્તિમાં મૂકી દે. હાથી, ઘોડા અંકુશવાળા છે તો ઘરમાં અને ગામમાં રખાય છે અને રસ્તા પર ફરવા દેવાય છે. અંકુશ વિનાના તો એ બધા ભયંકર નીવડે. ધર્મગુરુ કપ્તાન જેવા અને કસાઈ જેવા પણ ! અંકુશ વિનાના માનવી ભયંકર બને છે. અંકુશ વિનાની મોટર બહુ બહુ તો પાંચ-પચાસને મારે પણ અંકુશ વિનાનો માનવી તો યોજનાપૂર્વક લાખોનો સંહાર કરે અને અનંતાનંત જીવોનો કચ્ચરઘાણ પણ કાઢે. ધર્મગુરુને શાસ્ત્ર કપ્તાન એટલે નિર્ધામક જેવા પણ કહ્યા અને કસાઈ જેવા પણ કહ્યા. કસાઈ તો ગણતરીના જીવોના તે એક ભવનો જ નાશ કરે છે, જ્યારે નિરંકુશ ધર્મગુરુ અગણિત જીવોનાં અનંતા ભવો બગાડે છે. તમે બીજા પર અંકુશ ઇચ્છો અને તમારા પર અંકુશ જ નહિ એ કેમ ચાલે ? શેઠ પણ પગારના બદલામાં નોકર પાસે આઠ કલાકનું કામ માગે છે. તમે પણ જૈનશાસનના નોકર નથી ? જૈન બનવું હોય તો આટલું આટલું કરવું પડશે એમ આત્માને સમજાવો. પાંચ-પચાસના પગારદાર ઘાટીને હુકમ કરો છો કે મારા આવ્યા પહેલાં ઑફિસ વાળીઝૂડી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી તૈયાર રાખવાનું. આ બધું એણે બરાબર કરવું જ પડે, તો જૈન બનવા માટે કાંઈ ન કરવું પડે ? જૈન માતાના પેટે જન્મવા માત્રથી કામ સરી જાય ? દીકરો બાપ સામે બોલે તો બાપ કહી દે કે કોની સામે બોલે છે ? કાંઈ ખ્યાલ છે કે નહિ ? એ જ રીતે શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી જિનાગમ એ આપણા બાપ નથી ? એની સામે ગમે તેમ બોલાય ? પણ માણસ પોતાની જાત સામે દૃષ્ટિ રાખી કાંઈ વિચારતો નથી એ જ મુશીબત છે. જૈન બને તેનાથી ગમે તેમ અને ગમે ત્યારે ખવાય પીવાય નહિ, ગમે તેવું બોલાય ચલાય નહિ, ગમે તેમ વર્તાય નહિ. એની દરેક ક્યિા અવસરે જ હોય. અમુક સમયે અમુક જ ખવાય પીવાય
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy