________________
૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૧ મંગળવાર, તા. ૧૧-૩-૧૯૩૦
87
• જૈનજીવનની કિંમત સમજો ! • ધર્મગુરુ કપ્તાન જેવા અને કસાઈ જેવા પણ : • જનજીવન જીવનારની જવાબદારી : • સાતેય વ્યસનોને દેશવટો : • બાળકને દૂધ વિના તેમ જૈનને દર્શન-પૂજન-વંદન વિના ન ચાલે ? • જૈનશાસનના અહિંસા-સંયમ-તપની આંશિક પ્રાપ્તિ પણ દુર્લભ : • કરેલાં પાપનો પશ્ચાત્તાપ કરો અને ફરી ન કરવાનો નિયમ કરો ! • જૈનજીવન માટેના સામાન્ય નિયમો :
અન્ન એવો ઓડકાર : . • સાધુપણાનો ઉપદેશ પહેલો શા માટે ?
જૈનજીવનની કિંમત સમજો ! . અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની મેરૂગિરિ સાથે સરખામણી કરી રહ્યા છે. પીઠ તથા મેખલાની સરખામણી કર્યા બાદ હવે ચિત્રકૂટ કે ચિત્તકૂટ-એટલે શિખરની સરખામણી ચાલે છે. ઇંદ્રિયો તથા મનને દમનાર નિયમોરૂપી સુવર્ણશિલાતલ પર શ્રી સંઘના ચિત્તકૂટો ઊંચાં, ઉજ્જવલ અને ઝળહળતાં હોવાં જોઈએ અનાદિકાળથી અયોગ્ય સંસર્ગોમાં પડેલાં હૃદય, ઇંદ્રિયો તથા મનને દમાય તેવા નિયમો લેવાના શુભ વિચારો લાવવા તે અતિશય મુશ્કેલ છે. મેરૂશૈલ ઉપર જેમ શિખરો સ્થળે સ્થળે ગોઠવાયેલાં છે તેમ ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે એવા નિયમો સંઘમાં ઠામઠામ, સંઘની દરેક વ્યક્તિમાં હોવા જોઈએ. સંઘમાં એક વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જેના જીવન પર અંકુશ ન હોય. અંકુશહીન જીવન એ જેનજીવન નથી. જૈનજીવનની વિશિષ્ટતા સમજો ! મનમાં આવે તેમ વર્તવું, ઇંદ્રિયો માગે તે આપવું, મન તથા ઇંદ્રિયોને જરા પણ દુ:ખ ન થાય તેમ થવા દેવું, એ જ રીતે ચાલ્યા કરે તો મુક્તિ સધાય શી રીતે ?
દેવ તો વીતરાગ જ, ગુરુ તો નિગ્રંથ જ, ધર્મ તો ત્યાગમય જ એમ બોલો