________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1232
ભગવાન શ્રી મહાવીરના સાધુ છે; ઢીલાપોચા તોય એ શ્રી મહાવીર ભગવાનના સંતાન છે; એમનો લેબાશ ભગવાન શ્રી મહાવીરદેવનો ફરમાવેલો છે એમની સાથે બાથ ભીડવામાં સાર નહિ કાઢો, એ મારી ચેલેંજ છે. ભરત ચક્વર્તી જેવા બળિયા પણ ત્યાગને શરણે ગયેલા બહુબલિજીના ચરણોમાં ઝૂકી પડ્યા; અર્થાત્ ત્યાગ સામે એમના જેવાને પણ નમવું પડ્યું છે; તો આ બધા તો વિષય કષાયના ગુલામો, હૉટેલ જોઈને તરત અંદર ઘુસનારા, ચા પાન બીડી સિગારેટના પનારે પડેલા કાયરો, નારીના નચાવ્યા નાચનારા પામરો, ત્યાગી સાધુઓ સામે પડીને કદી જીજ્યા નથી અને જીતવાના પણ નથી; આ મારી વાત તેઓ હૈયામાં કોતરી રાખે.
શ્રી સંઘમેરૂના નિયમોરૂપી સુવર્ણશિલાતલ અને તેના પરના ઊંચા, ઉજ્વલ અને ઝળહળતાં ચિત્તકૂટો વિષે ગ્રંથકાર હજી પણ આગળ શું વિશેષ વર્ણન કરે છે તે હવે પછી.