SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 1291 – ૬ઃ એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૯૩ બંધારણ છે. બંધારણ વિનાનું અને મન ફાવે તેમ વર્તી શકાય તેવું આ શાસન નથી. એ સ્વચ્છેદીઓ સાધુઓ સામે પડીને કદી ફાવવાના નથી ? આ શાસન જેવું મજબૂત બંધારણ દુનિયાભરમાં બીજે ક્યાંય જોવા નહિ મળે. મન ફાવે તેમ વર્તનારાઓની એમાં આંગળી કદી ખેંચવાની નથી. માટે તે આગમો ન જોઈએ, આગમો ઊંચાં મૂકો” એવી બૂમરાણ મચાવે છે. એ સમજે છે કે આગમ માન્યું, શાસન માન્યું તો અમે મર્યા છીએ. માટે આગમો અને એ આગમ વાંચનારા સાધુઓ ન જોઈએ, એવો એમનો પોકાર છે. આગમ જીવે અને રોજ રોજ આગમોનાં પાનાં વાંચનારા જીવે ત્યાં સુધી એમનાં છાપાં, એમની કલમો, એમના કાયદા અને એમની બુદ્ધિ એ કાંઈ ચાલવાનાં નથી; એ નકામાં છે; એમ એ પોતે સમજે છે. માટે તો એ આગમ અને આગમનાં પાનાં રોજ ને રોજ વાંચનારા સાધુઓ એમને નવરા લાગે છે અને ખપતા નથી. એ લોકો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “આવા ગુલામીની બેડી ઠોકનારા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સમાજનો ઉદય થવાનો નથી.” એ સ્વતંત્રવાદીઓની ભાષાની આસભ્યતા છે. દીક્ષાની નિયમાવલીની વાતો એ તો એમનો ઉપરનો દેખાવ છે બાકી એમને એ કશાની પડી નથી. સાધુઓ જો કહી દે કે “અમે હવે આવું કાંઈ કહેવા માગતા નથી' તો એ લોકો મૌન થઈ જાય. પણ દી ઊગ્યે સાધુઓ પાસે બેસે, સંસારની અસારતાને વર્ણવે અને વિષયસામગ્રીને નિંદ, એ એમને ખટકે છે. હવે તો અહીં વ્યાખ્યાનમાં આવી સાચું સમજનારી સ્ત્રીઓ પણ એમના ધણીને ધર્મના વિષયમાં આવું જેમ તેમ ન બોલવા સમજાવે છે. મહારાજ નંદીસૂત્રના આધારે આમ કહેતા હતા' એવી ઘેર જઈને વાતો કરી કેટલીક પત્નીઓ પોતાના પતિને પાપથી રોકવા પ્રયત્ન કરે છે. એટલે હવે તો એ વળી વધારે અકળાયા છે. એટલે એમને થઈ ગયું છે કે “બસ, હવે તો સાધુ જ ન જોઈએ.” માટે હવે તેઓ સાધુઓને ઝઘડાખોર કહે છે. એમને માટે ગમે તેમ બોલીને મામલો ખતમ કરવા માગે છે. પોતાને ક્રાન્તિકારી અને બળવાખોર સમજતા એ લોકો હવે એમ માની બેઠા છે કે આગમો અને સાધુઓ પર ચડાઈ કર્યા વિના છૂટકો નથી. એટલે વારંવાર એ બે સામે આક્રમણ લાવ્યા કરે છે પણ હું તેમને ચેતવું છું કે શ્રી જિનેશ્વરદેવનાં આગમ અને એમના સાધુ સામે હલ્લો લાવવો તે બળિયા સાથે બાથ ભીડવા જેવું છે. ભાંગ્યું તોય ભરૂચ કહેવાય છે, એમ જેવા તેવા તોય આ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy