SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 1279 - કુક એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૯૧ તો એમની પણ જડતી લેવાય. પ્રસંગે દુશ્મનના હાથમાં હાથ પણ મિલાવવા પડે. મિથ્થામતિના પરિચયની તમારે માટે મના છતાં પ્રસંગે અમને છૂટ. જરૂર પડે તો કલાકોના કલાકો એમની સાથે વાતચીત અને ધર્મચર્ચા કરવાની અમને છૂટ. મોટા પુરુષોને અમારા કરતાં પણ વધારે છૂટ. કુતર્કવાદીઓનું સાહિત્ય ન વાંચો: સભાઃ “ચોખા તથા બદામ વગેરે મંદિરમાં મુકાય, પછી તે વેચાય, ફરતાં ફરતાં શ્રાવકના ઘરમાં આવે ને એના પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ ન લાગે ?' આ બધા પ્રશ્નો મિથ્યા ભ્રમ પેદા કરનારા છે. માનો કે એક મંદિર છે. સમયનું પરિવર્તન થતાં મંદિર નષ્ટ થઈ ગયું. લક્ષ્મી એમાં રહી ગઈ. સેંકડો વર્ષો વીતી ગયાં. જમીનના માલિક બદલાતા ગયા. છેલ્લે જે માલિક બન્યો છે તેને કલ્પના પણ નથી કે પૂર્વે અહીં મંદિર હતું. એ સ્થાનની દીવાલમાંથી ધન નીકળે ને એ ભોગવે તો તેને દેવદ્રવ્યનો ભક્ષક કહેવાય ? બરાબર વિચાર કરો. ધર્મથી ખસેડવા માટે ધર્મના વિરોધીઓએ ઉપજાવી કાઢેલા આ બધા પ્રશ્નો છે. મંદિરમાં ચોખા બદામ મૂકવા જૈ નહિ એવું ઠસાવવાનો એમનો હેતુ છે. વસ્તુનું સંપૂર્ણતયા રૂપાંતર થઈ જાય પછી આવા પ્રશ્નો ઊભા રહેતા નથી. પણ ભોળા જનોને ભ્રમમાં નાખવા ઠાવકા મઢે એવી વાત કરે કે-“અરે ! આ રીતે દેવદ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો શી ગતિ થાય ?' પેલા બિચારા વિચારમાં પડી જાય એટલે હળવે રહીને ઠસાવી દે કે ચોખા બદામ મૂકવા જ નહિ, જેથી દોષ તો ન લાગે. માર્ગને ઉડાવવાની આ બધી તરકીબો છે. ચોખા બદામ મૂકવા બંધ થાય એટલે અક્ષત, ફળપૂજા ઊડી ગઈ. એ રીતે નૈવદ્યપૂજા પણ ઊડી જાય. અને આગળ વધતાં બીજા-ત્રીજા દોષોનાં બહાનાં ઊભાં કરી બાકીની પૂજા પણ ઉડાવી દેવાય. ભોળા લોકોને ધર્મવિમુખ બનાવી દેવા માટે ધર્મવિરોધી વર્ગે ઊભી કરેલી આ કુપ્રશ્નોની હારમાળા છે. શાસ્ત્ર કહે છે કે સુતર્ક કરતાં કુતર્ક અનેકગણા છે. એવા કુતર્ક કરનારાઓને બધા ઉત્તર આપવાની જરૂર નથી. ગમે તેવો તત્ત્વજ્ઞાની હોય પણ સામો પછી. પછી પછી.... એમ પૂછ્યા જ કરે તો અંતે એને એમ જ કહેવું પડે કે-પછી પછીત અને આગળ ભીંત. અમે હાર્યા ને તું જીત્યો બસ ! તારા જેવાથી હારવામાં જ અમારું કલ્યાણ છે. તમે એવા શ્રદ્ધાહીનોનાં સાહિત્ય ન વાંચો. એ તો કહે છે કે મંદિરમાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy