SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1278 શ્રાવકો પડિક્કમણું કરતા થઈ જાય. તો હવે આવો ફેરફાર કરાય ? એવો ફેરફાર કરનાર સંઘ ન ગણાય. આજ્ઞા વિના દીક્ષા કેમ આપો છો ? એમ અમને પૂછવા આવે છે અને તમે કોની આજ્ઞાની રૂએ આ અમને પૂછો છો ?” એમ અમે પૂછીએ તો અમને એવું પૂછવાની ના કહે છે. સાધુઓને એ પૂછી શકે અને એ નામદારોને સાધુ કાંઈ ન પૂછી શકે, એ કેવી વાત ? સાધુઓએ જેમ આજ્ઞાધીનપણે રહેવાનું છે તેમ રસ્તે ચાલતા એ વાણિયાઓએ પણ આજ્ઞામાં આવું પડશે. ત્યાં ઉદ્દેડતા નહિ ચાલે. આજ્ઞામાં આવશે પછી જ પૂછવાનો અધિકાર પ્રાપ્ત થશે. બાકી શાસ્ત્ર માટે હું મારી મરજીમાં આવે તેમ બોલું” એમ કહેનાર માટે અમે પણ અમારી મરજી મુજબ કહીએ, તો તેનાથી વાંધો કેમ ઉઠાવાય ? ત્યાં સ્વતંત્રતા તો અહીં સ્વતંત્રતા નહિ ? બાકી અમે એક પણ દીક્ષા આજ્ઞા વિરુદ્ધ આપી નથી. આપી હોય તો સાબિત કરી આપે. વગર સમયે ગમે તેની ટીકા નહિ કરુંઃ સંઘમાં કલ્પિત બંધારણ ન ચાલે. પોતાના પૈસા ન ખર્ચવા પડે અને સાધર્મિકને સહાય કર્યાનો જશ મળે માટે દેવદ્રવ્ય સામે નજર દોડાવાય છે એ યોગ્ય નથી. કોઈ કહે “અમારે દાન દેવાની ભાવના છે પણ અમારા ધન પરથી મૂર્છા નથી છૂટતી માટે બીજાની તિજોરીમાંથી આપીશું.” એમ કહીને બીજાના ઘરમાં પેસે તો પોલીસને હવાલે થવું પડે. જો દાન માટે એવી છૂટ અપાય તો બધા જ્યાં ફાવે ત્યાં તૂટી પડે અને મૂઠી દાનમાં આપે ને મૂઠી ખિસ્સામાં નાંખે. સભા: “હાલના વહીવટદારો પૈસાને ઘેર, લોન, વગેરેમાં રોકે છે.” એ ચર્ચા હમણાં કરવા માગતો નથી. એક વાર કહી ગયો કે હાલ યોગ્ય વહીવટદારો ઓછા છે. છતાં એ વહીવટદારો પેલા નામદારો કરતાં ઘણા સારા છે. પેલા તો ખાઈ જવા માગે છે જ્યારે આ વહીવટદારો. તો ઘરના પાંચ પૈસા ઘસાય તેવા છે. એટલે મારે હમણાં એમની ટીકા નથી કરવી. વ્યવહારમાં પણ મિલકતને સાચવવા ચાર પઠાણ પણ રાખવા પડે છે. ધાડપાડુથી બચવા ભીલને પણ સાથે રાખવો પડે, એને સો રૂપિયા પણ આપવા પડે, પરંતુ તે વખતે આ ભીલ તો આવો છે” એમ ટીકા ન કરાય. પ્રશ્નો બધા પૂછવાની છૂટ છે પણ આ પાટ પરથી અમારી પાસે પોતાની મરજી મુજબ બીજાઓની ટીકા કરાવી જાય એ આશા રાખવી નહિ. પ્રસંગે મારી જાતની પણ ટીકા કર્યા વિના નહિ રહું. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ રાખીને ટીકા કરવાની નથી. ટીકા માટે પણ મર્યાદા હોવી ઘટે. પ્રસંગે એ વહીવટદારો ન માને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy