________________
૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
126 વધી પડે તો બીજા વધારાના મેજિસ્ટ્રેટ બોલાવે છે ને ? એ કામને પહોંચી વળવા માટે બોલાવે છે. એ માટે બોલાવવાનો એમને હક્ક છે. એ રીતે આચાર્યો, મુનિવરો, જે જે બંધારણ નક્કી કરે તે ભગવાન શ્રી મહાવીરદેવના મુખ્ય બંધારણને પહોંચી વળવા માટે.
ગીતાર્થે આચરેલી, અન્ય ગીતાર્થોએ નિષેધ નહિ કરેલી અને શાસ્ત્રથી બાધિત ન હોય, તેવી પ્રવૃત્તિને ગીતાર્થ દૂષિત ન કરે પણ નભવા જ દે. જે ગીતાર્થની આજ્ઞા માનતો નથી તે શ્રી જિનેશ્વરદેવને માનતો જ નથી. જ્ઞાનીએ કહ્યું તે જ ગીતાર્થ કહે.
પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જ્યારે
વવો દરિ પ ... એ શ્લોકનો ભાવ ન સમજ્યા ત્યારે એ શ્લોક બોલનાર સાધ્વી પાસે અર્થ જાણવા ગયા. સાધ્વીજીએ ગુરુ પાસે મોકલ્યા. ગુરુએ કહ્યું કે એ જાણવા માટે સાધુ થવું પડશે. એમણે તરત એ વાત કબૂલ કરી, પણ એમ ન કહ્યું કે “હું મોટો પંડિત. મારે વળી ભણવાનું શું ?' બી.એ. થયા પછી પણ એલએલ.બી. થવા માટે ભણવું પડે ને ? “મને ભાષાજ્ઞાન છે માટે કાયદા મારી મેળે વાંચી લઈશ', એમ કહે એ ન ચાલે. સરકાર કહે છે કે ગ્રેજ્યુએટ ભલે થયા પણ વકીલાતનો ધંધો કરવો હોય તો એલએલ.બી. નો કોર્સ કરો, પરીક્ષા પસાર કરો અને ડીગ્રી મેળવો. જો પરીક્ષા વિના, ડીગ્રી મેળવ્યા વિના બધાને વકીલાત કરવાની છૂટ આપવામાં આવે તો એક પણ કોર્ટ ન ચાલે. સૌ કાયદાના જુદા જુદા અર્થ કરે. પરીક્ષા પાસ કરી ચૂકેલા વકીલો પણ કાયદાના જુદા જુદા ગમે તેટલા અર્થ કરે પણ જજ જે ફેંસલો આપે એ જ પ્રમાણભૂત ગણાય. ત્યાં મોટા બૅરિસ્ટરથી પણ જજને એમ ન કહેવાય કે-“હું મોટો બાર-એટ-લો અને તમે સામાન્ય જ્ઞાન ધરાવનાર વકીલ, માટે હું કહું તે જ સાચું.” એ જ રીતે અહીં પણ પોતાની મરજી મુજબ બંધારણ ઘડવાની વાતો કરનારા સંઘ બહાર છે. સભાઃ “વસ્તુના ભાવમાં જેમ ફેરફાર હોય છે તેમ બંધારણમાં ફેરફાર હોય
તો વાંધો શો ?' વસ્તુના ભાવમાં ફેરફાર થાય પણ વસ્તુમાં ફેરફાર ન ચાલે. સોનાના વરખની શક્તિ ન હોય તો રૂપાના ચઢાવાય અને તે પણ શક્તિ ન હોય તો તે ન ચઢાવાય તે વાત જુદી પણ બનાવટી ન ચાલે. કોડી ચાલતી ત્યારે તેનાથી વ્યવહાર